વડોદરા બાદ હવે સુરત સિવિલમાં પણ ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યુ છે. મહામારીમાં પણ લોકો મદદ કરવાને બદલે ઈન્દજેક્શનની ગોલમાલ કરીને રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા છે.
સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે
150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા
રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ
સુરત સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. 150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા છે. રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો છે. વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા છે. ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાગીણી વર્માએ આ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
Gujarat: Vadodara Police's Prevention of Crime Branch arrested a doctor & a male nurse for allegedly selling anti-viral drug Remdesivir illegally yesterday.
"They have been booked under Sections 406 & 420 of IPC & Disaster Management Act," said Vimal Gamit, ACP, Vadodra Police. pic.twitter.com/W7KIfw7OQA
વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે. PCBએ ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. PCBએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવી છે.
રેમડેસિવિર ઇન્જેક્શનનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન 7 હજાર 500 અને 9 હજારની કિંમતે વેચાતા હતાં. આરોપીઓ વિરુદ્વ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલે તેવી શકયતા છે.
વડોદરામાં કોરોનાની પરિસ્થિતિ
અમદાવાદ. રાજકોટ, સુરત અને વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વેન્ટિલેટરની પણ માગ વધી છે. ત્યારે હૈદરાબાદથી 100 વેન્ટિલેટર વડોદરા લવાયા છે. આ વેન્ટિલેટર સરકારી કોવિડ હોસ્પિટલ અને નિઃશુલ્ક બેડવાળી ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવશે. ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપની દ્વારા આ વેન્ટિલેટર બનાવવામાં આવ્યાં છે.
વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે શહેરમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા દર્દીઓ તથા તેમના પરિવારજનો બજારમાં ફરતા હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને શહેરમાં સતત કેસોનો વધારો પણ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ માહિતીને લઈને હરકતમાં આવી ગયું છે. તથા જાહેરમાં સંક્રમિતો નજરે ચડશે તો તેમની પર પોલીસ કાર્યવાહી કરવાનું પણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરના 7,916 જેટલા મકાનો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે.