સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે, સરકાર પક્ષપાત કરે છે.
સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4ની અટકાયત
રત્ન કલાકારોની માંગોને લઇ ઉપવાસ પર બેસવાના હતા
ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે કરી અટકાયત
સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. રત્ન કલાકારોની માંગોને લઇ ઉપવાસ પર બેસવાના હતા. ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી છે. રત્ન કલાકારો પર કોરોના ફેલાવવાનો આક્ષેપ લગાવાયો હતો. સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં આક્ષેપ લગાવ્યો હતો.
કોંગ્રેસે સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે, સરકાર પક્ષપાત કરે છે. ભાજપના રાજકિય મેળાવડાં અને તે સહિતના કાર્યક્રમોને પરવાનગી મળે છે પણ પ્રજાની પ્રશ્નોની વાચા આપાવાની હોય તો પરમિશન મળતી નથી, અગાઉ પણ શિક્ષિત બેરોજગાર સમિતિને પણ પરમિશન મળી નહોતી. ત્યારે હવે ખરેખર સરકાર આવા આક્ષેપો પછી ધડો લે શે કે હજુ સરકારી કાર્યક્રમો ચાલુ રાખશે?