સુરતના સરથાણામાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જો કે હવે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે.
હેપ્પી નામની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થયુ છે. કિરણ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનુ મોત થયુ છે. ટ્યુશન ક્લાસીસમાં અગ્નિકાંડમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યો છે.
જો કે એક મળતાં અહેવાલ મુજબ સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે. જ્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લગાવના મામલે બિલ્ડર અને ટયુશનના સંચાલક સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304 કલમ મુજબ ગુનો નોંધાયો છે. આ બાંધકામ હસમુખ વેકરિયા અને જીજ્ઞેશ પાધદારે કર્યું હતું. ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણી સામે પણ ગુનો નોંધાયો છે. ત્રણેય સામે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે. જ્યારે આ મામલે સમગ્ર તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.
સુરતની દુર્ઘટના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસિસના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તંત્રએ ડ્રોઈંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બૂટાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો FSLના રિપોર્ટ બાદ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે. જવાબદાર તમામ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે.