ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને ડિસ્ચાર્જ કરવા માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આપી રજા આપી દેવામાં આવી.
સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાના દર્દીને નેગેટિવ રિપોર્ટ બતાવીને રજા આપી દીધી હતી.
સિવિલ હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ કરવા માટે દર્દીને નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદમાં દર્દીનો કોરોના પોઝિટિવ હોવાનો ઘટસ્ફોટ થયો. જો કે રિપોર્ટ નેગેટિવ થતાં હોસ્પિટલમાંથી દર્દી પરત ઘરે ફર્યો હતો. સુરત પાલિકાના ધ્યાને સમગ્ર ઘટના આવતા દર્દીને ફરીથી સિવિલમાં દાખલ કરાયા છે.
સળગતા સવાલ...
પોઝિટિવ દર્દીને સારવારના બદલે કેમ રજા અપી દેવાઈ?
શું હોસ્પિટલના તબીબોને સારવાર કરવામાં રસ નથી?
દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં કેમ સારવાર થતી નથી?
ડિસ્ચાર્જ રેટ વધારવા માટે સિવિલે ખોટો રિપોર્ટ જાહેર કર્યો?
સિવિલના સત્તાધિશો આ કામમાં સંડોવાયેલા છે?
ડિસ્ચાર્જ રેટ વધરવા માટે શું દબાણ કરાય છે ?
દબાણ હોવાના કારણે ખોટા રિપોર્ટ આધારે હોસ્પિટલમાંથી રજા અપાઈ?