ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને સરકાર પર કોઇના કોઇ મુદ્દે આરોપ લગવામાં આવી રહ્યાં છે. સરકાર પર કોરોનાના ટેસ્ટિંગ ઓછા કરવા તેમજ આંકડાઓ છુપાવાને લઇને પણ સતત આરોપ લાગી રહ્યા છે. ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથેની વાતચીની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. સિવિલ હોસ્પિટલના કર્મચારી આંકડાઓને છુપાવાને લઇને સ્વીકાર કરી રહ્યો હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જો કે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરત ખાતે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સરકાર આંકડા છુપાવતી નથી.
સુરતમાં સિવિલના કર્મચારી સાથે વાતચીતનો ઓડિયો વાયરલ
સામાન્ય વ્યક્તિએ સિવિલના કર્મચારી સાથે કરી વાત
મોતના આંકડાને લઇને કરી રહ્યો છે સ્વીકાર
સુરતમાં સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. સામાન્ય વ્યક્તિએ સિવિલના કર્મચારી સાથે વાત કરી છે. વાતચીતમાં સિવિલ કર્મચારી મોતના આંકડાને લઇને સ્વીકાર કરી રહ્યો છે.
કોરોનાના આંકડા પણ વધુ હોવાને લઇ સ્વીકાર કરી રહ્યો છે. ગભરાહટમાં એક વ્યક્તિએ ફોન કર્યો હતો. જો કે આ ઓડિયો ક્લિપની ફોનમાં અનેક હકીકતનો સ્વીકાર થઈ રહ્યો છે. VTV ઓડિયો ક્લીપની સત્યતાની પુષ્ટી કરતી નથી.
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું સરકાર નથી છૂપાવતી આંકડા
સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધતા કોરોનાના કેસને લઇને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. સુરત સિવિલમાં કોરોનાથી થતાં મૃત્યુ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું સરકાર આંકડા છૂપાવતી નથી. 83 ટકા લોકોનું મૃત્યુ ગંભીર બિમારીને કારણે થાય છે. સરકારનો આંકડો છૂપાવવાનો ઈરાદો નથી. સુરતમાં વધતા કેસોને લઈ તંત્ર પણ ચિંતામાં છે.