કોરોના સંક્રમણ વધતા સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરનું આગામી 15 દિવસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
સુરત શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું
ચારથી વધુ લોકો ભેગા થવા પર લગાવ્યો પ્રતિબંધ
કોરોના સંક્રમણ વધતા બહાર પડાયું જાહેરનામું
સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. સભા કરવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
IPS અજય તોમર જાહેરનામું
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે, જે અનુસંધાને કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અને સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ ધરણાઓના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેથી કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરત પોલીસ કમિશ્નરે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જાહેર કર્યું છે.
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર (આઇ.પી.એસ.)ના આદેશ અનુસાર, સુરત પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઇ પણ જાતની સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સુરતની કોરોનાની સ્થિતિ
આજે સુરત શહેરમાં 86 અને ગ્રામ્યમાં 38 કોરોનાના કેસ નોંધાયા છે. તો શહેરમાં 85 અને ગ્રામ્યમાં 18 દર્દી સાજા થયા છે. તો સુરતમાં હાલ 744 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે.