દેશભર સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે-ધીરે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કરવામાં આવેલ લોકડાઉનની જાહેરાતના પગલે રાજ્યમાં પોલીસ દ્વારા રોડ પર કોઇ કારણોસર વગર નીકળેલા લોકોને ઘરે પરત મોકલવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક સ્થળો પર નાનું-મોટુ ઘર્ષણ જોવા મળતું હોય છે, પરંતુ પોલીસકર્મીઓની વાત સાચી હોય છે કે સાચી સમજદારી તો પોતાને ઘરમાં લોકડાઉનન કરવામાં છે.
સુરતમાં પોલીસના કાફલા પર પરપ્રાંતિય લોકોએ પથ્થરમારો કર્યો હોવાની ચર્ચા
પથ્થરમારાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે
પોલીસે ટોળુ વિખરેવા 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાં
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરમાં લોકડાઉનના પગલે પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યાં હતા ત્યારે એક મળતા અહેવાલ મુજબ પોલીસ કાફલા પર પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના વદોડના ગામ નજીક પરપ્રાંતિય લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ચર્ચા છે. જો કે મળતી વિગત અનુસાર અલગ-અલગ માંગને પગલે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે તકરાર થઇ હતી જે સમયાંતરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પોલીસ પર પથ્થરમારામાં ફેરવાઇ ગઇ હતી.
જો કે કયા કારણોસર આ બોલાચાલી ઉગ્ર બની તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે પોલીસકાફલા પર પથ્થરમારાની જાણ થતાં પોલીસનો ઉચ્ચ અધિકારીઓ વધુ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં પોલીસે ટોળુ વિખેરવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.