ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે રાજયમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોનાની ઝપેટમાં સૌથી વધારે જોવા મળ્યું છે. સુરતમાં કોરનોના કસે સતત વધી રહ્યાં છે. અનલોક-1માં શરૂ થયેલા ધંધા-રોજગાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે હવે શહેરમાં હીરા બંધ રાખવાનો અને હજુ 19મી સુધી ટેક્સટાઇલ માર્કેટ શરૂ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ હજુ બંધ રાખવાનો નિર્ણય
અગાઉ કોરોનાની નવી ગાઇડ લાઇન મુજબ માર્કેટ શરૂની હતી તૈયારી
19મી જુલાઈ સુધી બંધ રહેશે માર્કેટ
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. ગઇકાલે સુરતમાં 251 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 205 અને સુરત જિલ્લામાં 46 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,828 પર પહોંચ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 4,843 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 215 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે હવે શહેરમાંકોરોનાને લઇ ટેક્સટાઇલ માર્કેટ બંધ કરવા નિર્ણય લેવાયો છે.
કોરોનાને લઇ ટેક્સટાઇલ માર્કેટ બંધ કરવા નિર્ણય લેવાયો
સુરત શહેરમાં વધતા કોરોના કેસનો મામલે ટેક્સટાઇલ માર્કેટ 19મી જુલાઈ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, આજથી(13 જુલાઈ)થી ટેક્સટાઇલ્સ માર્કેટ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. માર્કેટ કોરોનાની નવી ગાઇડલાઇન મુજબ ખુલવાની હતી તેમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની પરવાનગી અપાઇ હતી. જો કે હવે આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હજુ 19મી સુધી માર્કેટ બંધ રહેશે.
આ અગાઉ સુરત શહેરમાં હીરા ઉદ્યોગને કોરોનાના વધતા સંક્રમણને લઇને 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે શહેરના હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતા હીરા બજારના તમામ સેઈફ 6 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.