બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાજપ નેતા નીતિન ભજીયાવાળાએ તંત્રનો કાઢ્યો ઘાણવો, જોખી જોખીને દબાણ વિશે બોલ્યા

સુરત / ભાજપ નેતા નીતિન ભજીયાવાળાએ તંત્રનો કાઢ્યો ઘાણવો, જોખી જોખીને દબાણ વિશે બોલ્યા

Last Updated: 09:25 PM, 8 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: નીતિન ભજીયાવાળાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, CM, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સાંસદને દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી છે

સુરત શહેરની ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો મુદ્દે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. નીતિન ભજીયાવાળાએ VTV NEWS સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યુ કે રાજકોટની ઘટના બાદ પણ સુરતનું તંત્ર ઘોર નિદ્રામાં છે.

SURAT

નીતિન ભજીયાવાળાનો તંત્ર સામે ગંભીર આક્ષેપ

SMC કમિશનર અને અધિકારીઓ ચૌટા બજારમાં અકસ્માતની મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં આગ લાગતા ફાયરની ગાડીઓ ફસાઈ ગઈ હતી. ફાયરની ગાડી ઘટના સ્થળે સમયસર પહોંચી શકતી નથી. ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો અંગે 25 થી વધુ વખત રજૂઆત કરી છે.

વાંચવા જેવું: ગુજરાતભરમાં 15 મોટા વોટરપાર્કમાં સ્ટેટ GSTના દરોડા, ખૂલી પોલમપોલ, આટલા કરોડના શંકાસ્પદ વ્યવહારો

"વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ મળ્યુ નથી"

વધુમાં કહ્યું કે, CM, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સાંસદને દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી છે. હું રોજગારીનો વિરોધી નથી. પરંતુ કોઈના જીવ જાય તેવી ઉભી કરાયેલી રોજગારી કેટલી યોગ્ય. ગેરકાયદે દબાણો દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી લડતો રહીશ.

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Pressure Issue Nitin Bhajiwala Allegation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ