સુરતમાં લગ્નમાંથી પાછા ફરતી વખતે બની દુર્ઘટના, કારનો અકસ્માત થતા 2લોકોના મોત 3 ઘાયલ
સુરતમાં લગ્નમાંથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
કેવડીથી વડીગામ જવાના રસ્તે અકસ્માત
અકસ્માતમાં 2ના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત
રાજ્યમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોનો બનાવ વધી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી. સુરતના ઉમરપાડામાં કેવડીથી વડી ગામે જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં કારમાં સવાર 2ના મોત જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો.
રવિવારે બની હતી હિટએન્ડ રનની ઘટના
આ તરફ સુરતમાં જ રવિવારના રોજ ડીંડોલી વિસ્તારમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી.ડીંડોલી વિસ્તારમા આવેલ ફ્લાવર ગાર્ડન પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં બાઈક ચાલકનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
ગોધરામાં કારનું ટાયર ફાટતા અકસ્માત
તો ગઇકાલે રાજ્યમાં અકસ્માતની બે મોટી ઘટના બની હતી. ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ સમયે અચાકન કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઉજ્જૈનથી દર્શન કરી પરત આવતા નડ્યો અકસ્માત
ખંભાતના 5 યુવાનો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોધર નજીક આ દુર્ઘટના બની હતી. યુવાનો ખંભાતના ઉંદેલ ગામના વતની હોવાનું જાણવા મળ્યુ હતું.
મોરબી-માળિયા હાઇવે પર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ
મોરબી-માળિયા હાઇવે પર રોટરી નગર ગામ નજીક કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા કુલ 5 લોકોના કરૂણ મોત થયા હતા. મોરબીના રઘુવંશી લોહાણા સમાજના જાણિતા વકીલ પિયુષ રવેશિયાના પરિવારને અકસ્માત નડ્યો હતો. રવેશિયા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. પિયુષ રવેશિયાના માતા-પિતા, બહેન અને ભાણેજનું મોત થયું હતું. તો અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. એક સાથે 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતને લઇને મુખ્યમંત્રીને સહાય જાહેર કરી છે. અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.