સુરત: છાશ પીતા પહેલા ચેતી જજો. કારણકે સુમુલ ડેરીની છાશમાંથી ઈયળ નીકળી શકે છે. આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. સુરતમાં છાશની થેલીમાંથી ઈયળો નીકળી હોવાનું સામે આવ્યું છે.
જાણીતી સુમુલ ડેરીની છાશમાંથી ઈયળો નીકળતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. છાશ ખોલતાની સાથે જ અંદરથી ઈયળો નીકળી હતી. સામાજીક પ્રસંગે છાશ વાપરવા માટે લાવામાં આવી હતી. સ્થાનિક ડેરીમાં છાશ લાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય ખાતા દ્વારા વારંવાર ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે તેમ છતાં મોટા વેપારીઓ દ્વારા આવી રીતે ગ્રાહકના આરોગ્ય સાથે છેડછાડ કરવાની ઘટના બને ત્યારે તંત્ર સામે પણ સવાલ ઉઠવા પામે છે.
સુમુલ ડેરીના કોથળી પેકિંગમાંથી આજરોજ ઇયળો મળી આવતા સ્થાનિક લોકોમાં કૂતુહલ સાથે રોષ જોવા મળ્યો હતો. જો કે આ છાશ મુદ્દે સુમુલના સંચાલકો સાથે કોઇ પ્રકારની વાતચીત થઇ શકી નથી. પરંતુ સુરત શહેરની સ્થાનિક આરોગ્ય શાખા તથા ફુડ એન્ડ ડ્રગ્સ સામે સવાલોની હારમાળ ઉભી થવા પામી છે.