સુરતમાં ફર્નિચરના એક વેપારીના પુત્રએ મિત્રો પાસેથી કેમિકલના વેપાર ધંધા માટે 21 લાખ ઉછીના લીધા હતાં. જો કે રૂપિયા પરત ન આપતા મિત્રો દ્વારા જ અપહરણ કરાયા બાદ છૂટકારો.
પૈસાની લેતીદેતીમાં વેપારીના પુત્રનું અપહરણ બાદ છૂટકારો
22 વર્ષીય પુત્રએ ધંધો શરૂ કરવા 21 લાખ ઉધાર લીધા હતા
21 લાખ રૂપિયા પરત ન આપતા મિત્રો દ્વારા જ અપહરણ
સુરતમાં પૈસાની લેતીદેતીમાં એક વેપારીના પુત્રનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. જો કે પિતાએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસે પુત્રને છોડાવ્યો હતો.
ભટારમાં રહેતા ફર્નિચરના વેપારીના પુત્રનું અપહરણ બાદ છૂટકારો
શહેરના ભટાર વિસ્તારમાં રહેતા ફર્નિચરના વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીના 22 વર્ષીય પુત્રએ ધંધો શરૂ કરવા માટે રૂપિયા 21 લાખ ઉધાર લીધા હતા. પરંતુ 21 લાખ રૂપિયા પરત ન આપતા મિત્રો દ્વારા જ વેપારીના પુત્રનું અપહરણ કરાયું. મહત્વનું છે કે, વેપારીના પુત્રએ કેમિકલના વેપાર માટે રૂપિયા 21 લાખ ઉધાર લીધા હતા.
જોકે જ્યારે પિતાને આ બાબતની જાણ થઇ કે તુરંત પિતાએ આ ઘટનાને લઇને પોલીસને જાણ કરી. જેથી ખટોદરા પોલીસે ફોન કરનાર મિત્રનું લોકેશન શોધી અપહરણકારોને ઝડપી લીધા.
અપહરણકારો વેપારી પુત્ર આકાશને હોટલમાં રાખતા હતા.
જાણો શું છે સમગ્ર ઘટના?
સુરતના ભટાર શ્રીરામ મારબલ પાસે નારાયણનગર સોસાયટીમાં રહેતા પરંતુ મૂળ રાજસ્થાનના રાજસમંદના વતની વેપારી કે જે ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ ગત તા. 13મીના રોજ ભટાર સિલ્વર પોઈન્ટ ખાતે પોતાના કામ અર્થે ગયા હતા. તે વખતે એક્ટિવા પર એક કેવિન નામનો યુવક ઘરે આવીને દીકરા આકાશ (ઉ.વ.22) ને લઈ ગયો હતો. આથી આ અંગે તેઓને જાણ થતા તેઓ તુરંત ઘરે દોડી આવ્યા હતાં. આખો દિવસ આકાશની શોધખોળ કરવા આકાશ ન હોતો મળ્યો.
બાદમાં ગઈકાલે અપહરણકારોએ દેવીલાલ સાથે તેમના પુત્ર આકાશની વાત કરાવી હતી. તે વખતે તેની તબિયત સારી ન હોતી અને તે રડતો હતો. આથી, દેવીલાલે તેના પુત્રને છોડી દેવાનું કીધું હતું છતાં આકાશને અપહરણકારોએ ન છોડ્યો. આખરે દેવીલાલે ગતરોજ ફરિયાદ નોધવાતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી આકાશને મુક્ત કરાવ્યો હતો. પોલીસને પૂછપરછમાં આકાશે કેમિકલના ધંધા માટે રૂપિયા લીધા હતાં. જે પરત ન આપતા અપહરણકારોએ આકાશને કોઇ એક હોટલમાં લઇ ગયા હતા જ્યાં તેઓ તેને રાખતા અને કારમાં ફેરવતા. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.