સુરતમાં જમીન વિવાદમાં દુર્લભ પટેલના આપઘાત બાદ સુરત પોલીસની છબી ખરડાઇ ગઇ છે. જેને લઇ હવે સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. જ્યારે દુર્લભ પટેલની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો ત્યારે જ VTV દ્વારા પોલીસની આ કેસમાં સાંઠગાંઠ હોવાનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. હવે પોલીસતંત્ર એક્શનમાં આવી ગયું છે.
સુરતમાં જમીન વિવાદમાં દુર્લભ પટેલનો આપઘાતનો મામલો
દુર્લભ પટેલના આપઘાત બાદ સુરત પોલીસની છબી ખરડાઇ
પોલીસની છબી ખરડાતા સુરત પોલીસ કમિશનર એકશનમાં
સુરતમાં જમીન વિવાદમાં દુર્લભ પટેલના આપઘાત બાદ સુરત પોલીસની છબી ખરડાઇ ગઇ છે. જેને લઇ હવે સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. અને સુરત પોલીસ કમિશનરે વિવાદિત અધિકારીઓની યાદી મગાવી છે. સુરત પોલીસ કમિશનરે નિર્ણય લીધો છે કે એસીપી, ડીસીપી, પીઆઇ કેડરના અધિકારીઓ જમીનની અરજીમાં સીધી તપાસ નહીં કરે શકે.
સુરતમાં દુર્લભ પટેલના આપઘાતનો મામલે VTVના અહેવાલ બાદ તેના પડઘા પડ્યા છે જેને પ્રમાણે આગામી 2 દિવસમાં ધરપકડનો દોર શરૂ થયો છે. 11થી વધુ આરોપીઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરાઈ છે.
પોલીસની ભૂમિકા અંગે સુક્ષ્મ વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. દુર્લભ પટેલના પુત્રનું નિવેદન લેવાયું છે. દુર્લભ પટેલના રહેઠાણ-ઓફિસના DVR કબ્જે લેવાયા છે. DVRની તપાસ માટે FSLમાં મોકલાયા છે. PI સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં ક્વોરી માલિકના આપઘાતના કેસનું રહસ્ય વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સુરત દુર્લભ પટેલઆપઘાત કેસમાં વધુ રહસ્યમય મોત સામે આવ્યું છે. જલારામ સ્ટોન ક્વોરીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો છે. સંદિપ ગામીત નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સંદિપની હત્યા થઈ કે આત્મહત્યા તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આજે પણ રત્નકલાકાર એસો. ના પાટીદાર પ્રમુખે આપઘાત વહોરી લેતા સુરતની માઠી બેઠી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જલારામ સ્ટોન ક્વોરીના માલિકની પણ મળી હતી લાશ
રાંદેર વિસ્તારમાં ખાતેની એક સોસાયટીમાં રહેલા દુર્લભભાઇ પટેલની સુરતના માંડવીના ખંજરોલી ગામે ક્વોરી આવેલી છે. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ, મોબાઇલ મળી આવ્યાં.
ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી
જો કે તેમની જ ક્વોરીની ખાણમાંથી દુર્લભ ભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ માન્યુ હતું. જો કે પોલીસના ધમાધમાટ વચ્ચે તેમની ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી હતી.
સ્યુસાઇડ નોટમાં પોલીસ સહિત અનેક લોકોના નામ
સુરતના કરોડપતિ સ્ટોન ક્વોરીના માલિકના આપઘાતના મામલે રાંદેર પોલીસ સ્ટેશનના PI સહિત 11 સામે ફરિયાદ નોંધાઇ છે. PI લક્ષ્મણસિંહ બોડાણા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ સ્ટેશન રાઇટર સામે પણ ફરિયાદ દાખલ કરાઇ છે. અડાજણ જમીન વિવાદને લઇ દુર્લભ પટલે આપઘાત કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં પોલીસ સહિત અનેક લોકોના નામ છે.
માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે માંડવીના ખંજરોલી ગામે પોતાની જ ખીણમાં કુદી આત્મહત્યા કરી હતી. અડાજણમાં જમીનના સોદામાં રાંદેર પોલીસ સ્ટેશનના PI તેમજ પોલીસ સ્ટાફ સહિત કેટલાક ભૂમાફિયાઓ તેમને ધમકી આપતા હતા.