વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ જીનવ ટુંકાવ્યો છે. સુરતના વેપારીએ સુસાઈડ નોટ લખીને આપઘાત વહોર્યો છે.
સુરત શહેરમાં વ્યાજખોરોને નથી સરકારનો ડર
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત
હજીરા વિસ્તારમાં ઝેરી દવા પી કર્યો આપઘાત
સુરતના હજીરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત સામે આવ્યો છે. કેતન સોપારીવાળા નામના વેપારીએ આપઘાત કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
વ્યાજખોરોની ઉઘરાણીના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત
મૃતક છેલ્લા 12 દિવસથી ગુમ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વેપારીએ લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા છે. સુસાઈડ નોટમાં ત્રાસ આપનારા 6 વ્યાજખોરોના નામ લખ્યા છે.