સુરતના સરથાણામાં થયેલ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 22 વિદ્યાર્થીઓના મોતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડમાં ચાલી રહેલ એક ઇસ્ટીટ્યૂટમાં શુક્રવાર સાંજે આગ લાગી ગઇ હતી જેમાં મૃત્યુાંક 22 સુધી પહોંચ્યો છે.
કેટલાક વિદ્યાર્થીઓના મોત આગમાં દાઝી જવાથી તો કેટાલક વિદ્યાર્થીઓના મોત બિલ્ડિંગ પરથી છલાંગ લગાવવાથી થયા છે. ચોથા માળેથી 17 વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી હતી. જે વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે પહેલી છલાંગ લગાવી, તેણે સમગ્ર હચમચાવી દેનાર ઘટના વિશે વાત કરી.
સુરત અગ્નિકાંડ દુર્ઘટનામાં બચેલા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રૂચિતે સમગ્ર દુર્ઘટના નજરો નજર જોયેલ પરિસ્થિતિનું વર્ણન કર્યું. રૂસિતે કહ્યું કે, અમે સૌ ઓફિસમાં બેઠા હતા, ત્યારે ધીરે ધીરે ધુમાડો અંદર આવવા લાગ્યો. સૌને લાગ્યું નીચે કોઇએ પ્લાસ્ટીક સળગાવ્યું હશે પરંતુ ધીરે ધીરે વધુ ધુમાડો અંદર આવવા લાગ્યો. ત્યારે નીચેથી બીજા ક્લાસિસના સર કેટલાક બાળકોને સાથે લઇને આવ્યા અને કહેવા લાગ્યા કે નીચે આગ લાગી ગઇ છે.
રૂસિતે વધુમાં કહ્યું કે, અમને કહેવામાં આવ્યું કે સૌ પાછળ ચાલો. અમે પાછળ ગયા તો ત્યાં પણ એટલો ધુમાડો થવા લાગ્યો કે શ્વાસ રુંધાવા લાગ્યો. અમે તે માળની તમામ બારીઓ તોડી નાખી. અમને લાગ્યું કે કદાચ અમે રહીશું કે નહીં રહીએ. નીચે છલાંગ લગાવવા વીશે વિચારવાનું શરૂ કરી દીધું. મેં વિચાર્યું કે અહીં રહીશ તો દાઝી જઇશ અને નીચે કુદીશ તો પણ મરી જઇશ. પછી મેં વિચાર્યું કે નીચે છલાંગ લગાવી દેવી જોઇએ.
રૂસિતે જણાવ્યું કે, આગની સુચના બાદ જ્યારે ફાયર બ્રિગેટ પહોંચી તો ત્યા સુધીમાં પરિસ્થિતિ હાથ બહાર થઇ ચૂકી હતી. ફાયર બ્રિગેડની ગાડી જ્યાં સુધી સેટ થાત, સીડીઓ લગાવત ત્યાં સુધી ઘણી મોડું થઇ જવાનું હતું. એટલા માટે અમે નીચે કુદવાનો નિર્ણય કર્યો. મારી સાથે ક્લાસમાં 8-9 વિદ્યાર્થી હતા, બીજા ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા.
પછી સૌએ નીચે છલાંગ લગાવવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલી છલાંગ રૂસિતે જ લગાવી હતી. ત્યાર બાદ 13 વિદ્યાર્થીઓ નીચે કૂદ્યા. જેમાંથી 3ના મોત થઇ ગયા. રૂસિત ત્યાં નાટકની તૈયારી માટે છેલ્લા દોઢ વર્ષથી જઇ રહ્યો હતો.
તક્ષશિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ગેરકાયદેસર ફાયબરનો એસી હોલ બનાવવામાં આવ્યો હતો. જેમાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યા હતા. ત્યાં સુધી પહોંચવા માટે લાકડાની સીડી બનાવવામાં આવી હતી. જેમાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યા હતા. ત્યાં સુધી પહોંચવા માટે લાકડાની સીડી બનાવવામાં આવી હતી. જે આગમાં સૌથી પહેલા સળગી ગઇ. જેના કારણે ચૌથા માળથી કોઇ પણ વિદ્યાર્થી નીચે ન ઉતરી શક્યો.
મહત્વનું છે કે શુક્રવારે 3 કલાકે 40 મિનિટ પર સુરતની તક્ષશિલા શોપિંગ સેન્ટરમાં આગ લાગી ગઇ હતી. જેના પર 4 કલાક બાદ કાબૂ મેળવી શકાયો. આ દુર્ઘટનામાં કુલ 20 વિદ્યાર્થીઓના મોત થયા છે.