સુરતમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. ઉંઘતા જ 3 લોકો જીવતા દટાટા આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
સુરતમાં ઈમારત ધરાશાયી
કાટમાળમાં દટાયેલા 3ના મોત
ખખડધજ હાલતમાં હતી ઈમારત
સુરત રાંદેર રોડ પર ઈમારતનો ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી હતી. મોડી રાત્રે પવન-વરસાદના કારણે ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. બિલ્ડીંગનો ભાગ પડતા 3 જણા કાટમાળમાં દટાયા હતા. 3 વ્યક્તિઓને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા પણ ત્યાં તેમનું મોત થતાં આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
શહેરના રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ ત્રણેયનાં મોત થયાં છે.