વાત દરિયાદીલીના પ્રકાશની કરવી છે. એવો પ્રકાશ જે અનેક ગરીબો માટે કોરોનાના અંધકારમાં છત બની પ્રગટ્યો. વાત સુરતના એક બિલ્ડરની છે. જેણે પોતાના 42 ફ્લેટ વિના મુલ્યે ગરીબ મજદૂર લોકોને રહેવા માટે આપી દીધા.
સુરતના બિલ્ડરની દરિયાદિલી
42 ફ્લેટ વગર ભાડે રહેવા આપ્યા
જરૂરિયાતમંદોને આપ્યો આશરો
આ છે સુરતની દરિયા દિલીનો પ્રકાશ, આવો પ્રકાશ શોધવા જશો તો ક્યાંય મળશે પણ નહીં. કારણ કે, આ પ્રકાશ માટે દરિયા દીલ હોવું જરૂરી છે. વાત સુરતની છે. જ્યાં લોકડાઉન બાદ અનલોકડાઉન તો આવ્યું પરંતુ લોકો એટલા બેરોજગાર બની ગયા કે, રહેવા માટે ઘરનું ભાડું આપવું પણ તેમના માટે અશક્ય હતું.
2 વર્ષ સુધી ફ્લેટ આપ્યા ભાડે
તેવામાં સુરતના એક બિલ્ડર પ્રકાશ ભાલાણી આ મજબૂર લોકોના બેલી બન્યા. તેમણે લોકાોની સ્થિતિ અને પરિસ્થિતિ જોઈ. તો તેમનું હૃદય કંપી ઉઠયું અને ખુદના જ નવા બિલ્ડિંગમાં 42 ફ્લેટ વિના મૂલ્યે જરૂરિયાતમંદ લોકોને રહેવા માટે આપી દીધા. તે પણ 2-3 મહિના નહીં પરંતુ 2 વર્ષ સુધી.
પ્રકાશ ભાલાણીનું દિલ પીગળી ગયું
કોઈ બિલ્ડર બિલ્ડીંગ કમાવાની ઈચ્છાએ બનાવતો હોય છે. ન કે કોઈને મફતમાં રહેવા દેવા માટે. પરંતુ એક વ્યક્તિ માત્ર પોતાનો સામાન રાખવા માટે મદદની આશાએ પ્રકાશભાઈ પાસે આવે છે અને તેમની વેદના સાંભળતા પ્રકાશ ભાલાણીનું દિલ પીગળી જાય છે. ત્યારબાદ તેઓ પોતાના પાર્ટનર્સને વાત કરે છે અને આ રીતે લોકાોને વિના મુલ્યે રહેવા માટે પોતાનું આખું બિલ્ડિંગ આપી દે છે. જોકે તેમની આ દરિયા દિલી અને મદદની ભાવનાને જોતા લોકો તેમને ભગવાન માની રહ્યા છે.
સલામ કરવાનું મન થાય
એવું કહી શકાય કે, આ કામ એવા વ્યક્તિ જ કરી શકે. જે નાનામાં નાના વ્યક્તિ સુધી જોડાયેલા હોય. જે વ્યક્તિ આ સ્થિતિને પારખી શક્તા હોય. અથવા તો જેણે આ સ્થિતિનો અનુભવ કર્યો હોય. પ્રકાશભાઈ તો આવી કાોઈ સ્થિતિમાંથી પસાર થયા કે, નહીં તે નથી ખબર પરંતુ તેમની આ માનવતા ભરી તસવીર તેમને સલામ કરવા માટે મજબૂર કરે છે.