સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે. આ કેબલ સ્ટેઇડ બ્રિજ રૂપિયા 143.64 કરોડના ખર્ચે તૈયાર થયો છે. વિલંબના કારણે તેનું કોસ્ટિંગ સતત વધતું રહ્યું છે. ઉદ્ધાટન પૂર્વે આ બ્રિજનો લાઇટોથી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો.
ત્યારે આ કેબલ સ્ટેઇડને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે આ બ્રિજના કારણે સૌથી વધુ જેને ફાયદો થવાનો છે તે પાલ-અડાજણ વિસ્તારના નાગરિકો તેના પરથી પસાર થવા. ફોર લેનના આ બ્રિજની લંબાઈ 918 મીટર છે અને પહોળાઈ 20.8 મીટર છે.
તેનો કેબલ પોર્શન 300 મીટર છે જેમાં 1632 કેબલનો ઉપયોગ થયો છે. 8500 ઘનમીટર ક્રોંકિટ અને ર000 ટન સ્ટ્રકચરલ સ્ટીલનો બ્રિજની બનાવટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેની વ્હીકલ કેરિંગ કેપિસીટી 40 000 પીસીયુ પર અવરની છે. એટલે કે આટલા વાહનો એક કલાકના ચોક્કસ સમયગાળામાં બ્રિજ પરથી પસાર થઈ શકશે. તેના લાઇફ સ્પાનની સ્ટ્રેન્થ 100 વરસની આંકવામાં આવી છે.