સુરતના એક બ્રેન ડેડ યુવાને આઠ આઠ વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે, જ્યારે આ અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇ ની હોસ્પિટલો સુધી પહોંચે તેને માટે ત્રણ જુદા જુદા ગ્રીન કોરિડોર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા, સુરતમાંથી આ 29 માં હૃદય નું દાન થયું છે.
સુરત બ્રેઇન ડેડ યુવાનના અંગદાનથી 8ને નવજીવન
પિયુષ મંગુકિયાના હ્રદય, ફેફસા, કીડનીનું દાન
વેલંજા જતા યુવાનને નડ્યો હતો અકસ્માત
સુરતના વેલનજામાં રહેતો પિયુષ મંગુકિયા નામનો 32 વર્ષીય યુવાન બાઇક અકસ્માત માં બ્રેન ડેડ દિકલેર થયો હતો, બીજી તરફ ડોનેટ લાઈફ નામના એનજીઓના સંચાલક નિલેશ મંડલેવાળાના પ્રયાસોથી બ્રેન ડેડ યુવક પિયુષના પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા, બ્રેન ડેડ પિયુષ નું હૃદય, ફેફસા, બન્ને કિડની, લીવર અને પેન્ક્રીયાસ તેમજ આંખોનું દાન કરવામાં આવ્યું હતું.
કોને કોને કરાયુ અંગદાન
હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ચાર્ટડ પ્લેન દ્વારા લઈ જવાયું હતું જે આણંદ ના 39 વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ફેફસા મુંબઇ ની એચ એન રિલાયન્સ હોસ્પિટલ માં ફેફસાનું 44 વર્ષીય આધેડને આપવામાં આવ્યું છે. જ્યારે કિડની અને પેન્ક્રીયાસ અમદાવાદની અન્ય હોસ્પિટલમાં પ્રત્યારોપન માટે મોકલ્યા હતા.
180 મિનિટમાં હોસ્પિટલ સુધી અંગો પહોંચતા કરવામાં આવ્યા
સૌથી મહત્વની વાત એ છે કે અંગદાન સમયસર અન્ય શહેરમાં પહોંચે તેને માટે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી આયુષ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર પોલીસ ની મદદ થી બનાવ્યા હતા જ્યારે કિડની, પેન્ક્રીયાસ રસ્તા માર્ગે સુરત થી અમદાવાદ 272 કિલોમીટર સુધી નો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો અને 180 મિનિટમાં હોસ્પિટલ સુધી અંગો પહોંચતા કરવામાં આવ્યા હતા.
મૃત્યુ પહેલા 8 વ્યક્તિઓને નવજીવન આપ્યું
મૂળ સૌરાષ્ટ્ર નો વતની પિયુષ મંગુકિયા સુરતમાં રત્નકલકર હતો અને ફેકટરી થી છૂટી સુરતમાં સસરિયે ગયો હતો અને ત્યાંથી વેલનજા ખાતે પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો, પિયુષ ના પિતા પોતાનો દીકરો રહ્યો નથી પણ તેને મૃત્યુ પહેલા 8 વ્યક્તિઓને નવજીવન આપ્યું તેનાથી ખૂબ સંતોષ ની લાગણી અનુભવી રહ્યા છે.