LOCKDOWN / સુરતમાં વેલનજાના સેવાભાવી યુવાનો આવ્યા ગરીબ મજૂરોની વહારે

સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોક ડાઉન જાહેર થતા છૂટક મજૂરી કરતા લોકોની હાલત કફોડી બની છે. જેને લઈને સુરતમાં સેવાભાવી યુવાનો ગરીબ મજૂરોની વહારે આવ્યા છે. સુરતના વેલનજામાં હજારથી વધુ મજૂરો રસ્તા પર રહે છે. આથી સુરતના વેલનજાના સેવાભાવી યુવાનોએ જમવાનું બનાવીને મજૂરોને ભોજન કરાવ્યું. તેમજ આગામી 10 દિવસ સુધી દરરોજ ભોજન આપવાની જાહેરાત કરી છે. સાયણ રોડ વરણી રાજ રેસિડેન્સીના યુવાનોના આ સરાહનીય કાર્યને VTV બિરદાવે છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ