કોરોનાના દાવાનળ પર બેઠેલા સુરતથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. અને ભેગા થયેલાઓમાં ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે.
કોરોનાના દાવાનળ પર બેઠેલા સુરતથી ચિંતાજનક દ્રશ્યો
ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભેગા થયેલાઓમાં ભાજપના કોર્પોરેટર પણ છે
ગણપતિ વિસર્જનમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડ્યા
સુરતમાં કોરોના વાયરનો કહેર વરસી રહ્યો છે અને ભાજેપના કોર્પોરેટરો ગરબે રમે છે, જુઓ વીડિયોસુરતમાં કોરોના વાયરનો કહેર વરસી રહ્યો છે અને ભાજેપના કોર્પોરેટરો ગરબે રમે છે, જુઓ વીડિયો
કોરોનાના દાવાનળ પર બેઠેલા સુરતથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ ઉધનામાં ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અને મોટી વાત તો એ છે કે આ ભીડમાં ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે. એટલે કે જેઓએ લોકોને સામાજિક અંતરનું પાલન કરવા માટે સમજાવાના હોય તેમના દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. અને એકઠા થયેલા લોકોએ ગરબા પણ કર્યા.
આ દરમિયાન ક્યાંય સામાજિક અંતર દેખાઇ રહ્યું નથી. ત્યારે લોકોએ શ્રદ્ધા સાથે સલામતી રાખવી પણ ખુબ જરૂરી છે. જો આ રીતે બેદરકારી કરતા રહીશું તો કોરના વાયરસથી ક્યારેય મુક્તિ નહીં મળે.
ચૂંટાયેલા લોકોના પ્રોત્સાહનથી ગંભીર સ્થિતિવાળા સુરત શહેરની સ્થિતિ વધુ બગડશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે શું ભાજપના કોર્પોરેટરને સુરતની સ્થિતિની જાણ નથી?.સુરતમાં સતત વધતા કેસ વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કેમ?.શું આ સમયે ગરબા રમવા જરૂરી છે?.લોકોને સમજાવાની જગ્યાએ કોર્પોરેટરોએ જ નિયમો તોડ્યા?
સળગતા સવાલ
ઉધનામાં કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ રહેશે?
શું ભાજપના કોર્પોરેટર સામે કાર્યવાહી થશે?
લોકોને સમજાવાની જગ્યાએ કોર્પોરેટરોએ જ નિયમો તોડ્યા?