સુરત: બિટકોઈન તોડ કેસમાં સંડોવાયલા PI અનંત પટેલની જામીન અરજી પર આજે ફેંસલો આવશે. અમદાવાદની સેશન્સ કોર્ટ આજે જામીન અરજી પર ચુકાદો આપશે.
મહત્વનું છે કે અનંત પટેલ અમરેલીમાં PI તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે શૈલેષ ભટ્ટના અપહરણમાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ મામલે અનંત પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
જોકે CIDના વકીલે અનંત પટેલને જામીન ન આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે આજે સૌ કોઈની નજર અનંત પટેલની જામીન અરજી પર છે. ત્યારે સેશન્સ કોર્ટ અનંત પટેલને જામીન આપે છે કે નહીં તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે બિટકોઈન કૌભાંડ સામે આવતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફરાર થયા છે. આ મામલે કોર્ટે ફરાર નલિન કોટડિયાને ભાગેડૂ પણ જાહેર કર્યા છે. ત્યારે હવે આરોપી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં નલિન કોટડિયા હાજર થાય તેવા CID ક્રાઈમે પોસ્ટર લગાવ્યા હતા. અમરેલી અને ધારી કોર્ટના હુકમના પણ રાજ્યમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. નલિન કોટડિયાના ફોટા સાથે કોર્ટના હુકમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.