સુરતમાં કરોડોની સંપત્તિનો થશે ત્યાગ. સુરતમાં હીરાના વેપારી પરિવાર સાથે દીક્ષા લેશે. સુરતના વેપારી વિજય મહેતા પત્ની અને પુત્રીઓ સાથે દીક્ષા લેશે. આગામી 27 જાન્યુઆરીએ સમગ્ર પરિવાર કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. કરોડોની સંપત્તિનો ઉપયોગ ગરીબોને દાન આપવામાં અને પાંજરાપોળમાં ઉપયોગ કરાશે. આ અગાઉ પણ વિજય મહેતાની એક પુત્રીએ દીક્ષા લીધી હતી.