સુરતના બારડોલી -પલસાણા વચ્ચે આજે વહેલી સવારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમવાતા બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ પલટી જતાં અંદાજે 30 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે બસનો ડ્રાઇવર આ અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.
સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર અકસ્માત
ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
બસમાં સવાર 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખાનગી બસ ભૂંસાવલથી અમદાવાદ જઇ રહી હતી ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 30થી વધારે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.
બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જો કે આ અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગઇ હતો.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ એમ્યુલન્સ પહોંચતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.