નવી સરકારમાં આ વખતે સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી બનાવવામાં આવ્યા, ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું
ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન
રાજકોટમાંથી બે અને જામનગરમાંથી એકને મંત્રી, સુરતના 4 ધારાસભ્યને મંત્રી બનાવાયા
અરવલ્લી, વલસાડમાંથી 1-1 ધારાસભ્યને મંત્રી બનાવાયા
પાટણ,મહેસાણા,મહિસાગર,દાહોદ,અમદાવાદના 1-1 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન
રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કરી લીધા છે. આ સાથે નવા મંત્રી મંડળે પણ આજે શપથગ્રહણ કર્યા છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ ભજપે સૌ કોઇને ચોંકાવી દીધા છે. વાત જાણે એમ છે કે, નવી સરકારમાં આ વખતે સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. આના પરથી ચોક્કસ કહી શકાય કે, ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું છે.
આજે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. વિગતો મુજબ રાજકોટમાંથી બે અને જામનગરમાંથી એકને મંત્રી બનાવાયા છે. તો વળી સુરતના 4 ધારાસભ્યને મંત્રી બનાવાયા છે. અરવલ્લી, વલસાડમાંથી એક-એક ધારાસભ્યને મંત્રી બનાવાયા તો પાટણ, મહેસાણા, મહિસાગર, દાહોદ, અમદાવાદના 1-1 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
નવા મંત્રી મંડળમાં સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી
ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું છે. આજે શપથગ્રહણ કરનાર મંત્રીઓમાં સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી બન્યા છે. આ સાથે દલિત, આદિવાસી, જૈન, બ્રહ્મ, ક્ષત્રિય સમાજને પણ મંત્રીમંડળમાં સમાવાયા છે.
CM સહિત 4 પાટીદાર ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 4 પાટીદાર ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફુલ પાનસેરિયાનો સમાવેશ કરાયો છે.