ગુજરાતના ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુ હટવાની સાથે જ વરાછાની ધનીયા શાકમાર્કેટમાં ભીડ જોવા મળી. જ્યારે બીજી તરફ APMC બહાર ભીડ એકઠી થતા VTV Newsના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગતા સવારના સમયે શાકભાજી વિક્રેતાઓને હટાવવામાં આવ્યાં.
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત
વરાછાની ધનીયા શાક માર્કેટમાં દેખાઈ ભીડ
સુરતમાં કોરોનાના કહેરની વચ્ચે વરાછાની ધનીયા શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. પુણા પોલીસે બાજુના માર્કેટમાં કાર્યવાહી કરી. જો કે વરાછામાં પોલીસે ભીડ સામે કોઇ કાર્યવાહી કરી નહી. જો કે રિવ્યુ બેઠક બાદ પણ કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા ભીડ ઉમટી પડી હતી.
જ્યારે બીજી તરફ સુરત APMC બહાર ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. જો કે VTV NEWSના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને સવારના સમયે શાકભાજી વિક્રેતાઓને હટાવ્યાં અને ભીડને કાબુમાં લેવામાં આવી. આ મુદ્દે રિવ્યુ બેઠક પણ યોજાઇ હતી.