સુરતના ખેતીવાડી બજારે સડેલા શાકભાજીના ઉપયોગ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતબજાર હોવાથી સ્વાભાવિક રીતે માર્કેટમાં સડેલા શાકભાજીનો અઢળક કચરો નીકળતો હોય છે. એવામાં વેસ્ટમાંથી બેસ્ટની નીતિના ધોરણે માર્કેટમાં આ સડેલા શાકભાજીમાંથી ગેસનું ઉત્પાદન કરીને તેને ગેસ કંપનીને આપવામાં આવે છે. જેનાથી માર્કેટને લાખોની આવક થઇ રહી છે.
સડેલા શાકભાજીમાંથી પૈસાની આવક
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પણ માર્કેટના કર્યા વખાણ
માર્કેટમાં દરરોજ 50 ટન કચરો ગેસ માટે વપરાય છે
શાકમાર્કેટમાંથી નીકળતાં કચરામાંથી CNG ગેસ બનાવીને સૂરત APMC લાખો રૂપિયા કમાઈ રહ્યું છે. શાકમાર્કેટમાં સડી ગયેલા શાકભાજીમાંથી ગેસ બનાવીને ગુજરાત ગેસ કંપનીમાં તે ગેસ આપવામાં આવે છે. આ પ્રયોગના કારણે ગંદા કચરાથી પણ મુક્તિ મળે છે અને તે જ સડેલા શાકભાજીમાંથી પણ પૈસાની આવક કરી શકાય છે.
एक अभिनव प्रयोग द्वारा सूरत, गुजरात में खराब सब्जियों से गैस बनाकर गुजरात गैस कंपनी को आपूर्ति की जा रही है।
નોંધનીય છે એક બાયોગેસ તેવી વસ્તુમાંથી બની શકે છે જે સડી શકે છે. રસોડામાંથી નીકળતો એઠવાડ અથવા ફૂલ-છોડના પાંદડા જેવા જૈવિક કચરામાંથી સરળતાથી આ ગેસ બની શકે છે.ગેસમાં કોમ્પોસ્ટિંગ ગેસ હવામાં જતી રહે છે જ્યારે માનવઉપયોગમાં બાયોગેસ વાપરી શકાય છે.
કેન્દ્ર સરકારે પણ સુરતનાં આ નવતર પ્રયોગનાં કેન્દ્ર સરકારે પણ વખાણ કર્યા છે. એવામાં સુરતની APMC દેશની પહેલી એવી APMC છે જે સડેલા શાકભાજીમાંથી CNG ગેસ બનાવે છે. આ ગેસથી માર્કેટ લાકાહો રૂપિયાની કમાણી કરે છે. દરરોજ 40થી 50 ટન સડેલા શાકભાજીમાંથી ગેસ બનાવવામાં આવી રહી છે. માર્કેટ અને ગુજરાત ગેસ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે જે હેઠળ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેસનું વેચાણ કરવામાં આવે છે.
સૂરત APMCના ચેરમેન રમણ જાનીએ કહ્યું કે આ પ્લાન હેઠળ દરરોજ 50 ટન કચરો પર પ્રક્રિયા કરવામાં આવે છે અને દરરોજ 1000 cm ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. ગેસ કંપની સાથે કરવામાં આવેલ કરારના કારણે ઉત્પાદિત થયેલ ગેસ સીધું કંપનીની લાઈનમાં જતું રહે છે.