સુરત હાઈ એલર્ટ મોડ પર, તૌકતે વાવાઝોડાની ગંભીર અસર થવાની શક્યતા, 80 થી 90 કિ.મી ઝડપે ફુંકાઈ શકે પવન
સુરત મનપાની લોકોને સાવચેત રહેવાની અપીલ
સુરતમાં તૌકતેની ગંભીર અસર થવાની શક્યતા
80 થી 90 કિ.મી પવન ફુંકાવાની શક્યાતા સેવાઈ
Last Update: 12 :17 PM,17 MAY 2021
વાવઝોડાને લઈને સુરતના દરિયાકિનારાના ગામોને અલર્ટ કરાયા, કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાનું સુચન, કારણ વગર ઘરની બહાર ન નીકળવાની સુચના, ડુમસ, સુવાલી અને દભારી સહિતના તમામ બીચ બંધ કરાયા, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, સુવાલી અને ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત કરાઈ
Last Update: 11 :49 AM, 17 MAY 2021
તૌકતે વાવાઝોડની અસરને પગલે સુરત એરપોર્ટ બંધ કરવામાં આવ્યું, સાંજે 6 વાગ્યે સુધી એરપોર્ટ રહેશે બંધ, સમીક્ષા બેઠક બાદ આગામી નિર્ણય લેવામાં આવશે, સવારે દિલ્હીથી ચૈન્નઈ જતી ફ્લાઈટ સુરતમાં લેન્ડ કરવામાં આવી..
શહેરમાં નુક્સાનકારક હોડિંગ્સ દૂર કર્યા
રાજ્યમાં તૌકતે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે તૌકતે વાવાઝોડું મુંબઈની નજીક પહોંચી ચુક્યું છે તો રાજ્યનું વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે, રાજ્યમાં સંભવિત અસર થનાર જિલ્લાઓ હાઈ એલર્ટ મોડ પર છે જિલ્લા વહીવટી તંત્રે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે તો મુખ્યમંત્રી આવાસે પણ બેઠકો ચાલી રહી છે. ત્યારે સુરતમાં મહા નગરપાલિકાએ શહેરમાં નુક્સાનકારક હોડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત નપાએ 400 થી વધુ હોડિંગ્સ ઉતારી લીધા
તૌકતે વાવાઝોડાં સંભવિત આગાહીને લઈ સુરત મહાનગર પાલિકાએ પણ તૈયારી આરંભી દીધી છે જેમાં શહેરમાં જાહેરાતોના મોટા હોડિંગ્સ ઉતારવાની શરૂ આત કરી દેવામાં આવી છે મનપાએ 400 થી વધુ હોડિંગ્સ ઉતારી લીધા છે, શહેરમાં આવતા 200થી વધુ મોટા અને જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ શરૂ કર્યું છે, મનપાએ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને સ્ટન્ડ ટુ રહેવાનો નિર્દેશ કરી દીધો છે. સુરતમાં 80 થી 90 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા
તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે, સુરત મનપાએ તમામ અધિકારીઓની રજા રદ્દ કરી દીધી છે, પાવર કટના સંજોગોમાં પીવાના પાણીનો સંગ્રહ રાખવાની પણ સુચના આપી દેવામાં આવી છે, મહત્વનું છે સુરતમાં તૌકતે વાવાઝોડાની ગંભીર અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. જેને લઈ 80 થી 90 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જોવાઈ રહી છે. તૌકતે વાવાઝોડું મુંબઈ નજીક પહોંચી ચુક્યું છે, તેમજ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈ મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે