સુરત એરપોર્ટ પર ફાયર વિભાગની ઓવરટાઇમમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કેગના રિપોર્ટમાં બેદરકારીનો ખુલાસો થયો છે.
ઓવરટાઇમને લઇ ફાયર વિભાગની બેદરકારી
કેગના રિપોર્ટમાં થયો ખુલાસો
માનવ કાર્યક્ષમતા કરતા વધુ ઓવરટાઇમ કરાવ્યો
સુરત એરપોર્ટ પર ફાયર વિભાગની ઓવરટાઇમમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કેગના રિપોર્ટમાં બેદરકારીનો ખુલાસો થયો છે. રેસ્ક્યૂ અને ફાયર સ્ટાફને ઓવરટાઇમના રૂ.1.03 કરોડ ચૂકવાયા છે. 4 વર્ષમાં 8 કલાકથી લઇ 120 કલાકનો ઓવરટાઇમ ચૂકવાયો છે.
સતત ઓવરટાઇમ કરતા કર્મચારીઓની કાર્યક્ષમતા સામે સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં વાઉચર મંજૂર કરવામાં નિયમોનું પાલન ન કરાયું હોવાનું પણ સામે આવ્યું છે એટલું જ નહીં ઓવરટાઈમ વાઉચર મંજુર કરવામાં HR વિભાગની અવગણના કરવામાં આવી છે. ઓવરટાઇમના કલાકોમાં પણ માનવ કાર્યક્ષમતા સામે પ્રશ્નાર્થ છે. કેગના રિપોર્ટ બાદ તટસ્થ તપાસની માગ ઉઠી છે.
સળગતા સવાલ
શું ફાયર વિભાગ પાસે પૂરતા કર્મી નથી?
પૂરતા ફાયર કર્મી નથી તો ભરતી કેમ નથી કરતા?
જે ફાયર કર્મી છે તેને સતત ઓવરટાઇમ કેમ કરાવો છો?
ફાયર કર્મી સતત ઓવરટાઇમ કરશે તો તેમની કાર્યક્ષમતાનું શું?
ફાયર વિભાગના ચીફ ઓફિસર કેટલો ઓવરટાઇમ કરે છે?
ફાયર વિભાગના અધિકારીઓ કેટલો ઓવરટાઇમ કરે છે?
ઓવરટાઇમ કર્યો તો તેના વાઉચર મંજૂર કરવામાં પણ આનાકાની?