સુરતમાં આજે થયેલા ગોઝારા અકસ્માતમાં 15 લોકોના જીવ ગયા છે ત્યારે હવે આ દૂર્ઘટનામાં બચી ગયેલ યુવકે પોતાની આપવીતી VTVને જણાવી હતી. આવો જોઈએ શું કહે છે યુવક?
સુરત-માંડવી અકસ્માતનો મામલો
રમણલાલ નામના યુવકે VTV સાથે કરી વાત
'સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા'
રમણલાલ નામના યુવકે VTV સાથે કરી વાત
રમણલાલે કહ્યું કે, 'અકસ્માત ખુબજ ગંભીર હતો અને આ મામલે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા છે. અમે રોજગારી માટે આવ્યા હતા અને દૂર્ઘટના થઈ ગઈ.
સુરતના માંડવી રોડ પર થયેલા અકસ્માતનો મામલો રાષ્ટ્રીય લેવલે ગાજ્યો છે. સમગ્ર ઘટનાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્તોનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવી પણ જાહેરાત કરી છે.
Pm મોદીએ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
કેટલી સહાયની જાહેરાત?
કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય જાહેર કરી છે.
ઘટનાના CCTV સામે આવ્યા છે.
આ ગોઝારી અક્સમાતના CCTV સામે આવ્યા છે. જેમાં કરૂણ દ્રશ્યો સર્જાયા છે. આ ઘટનાને પગલે તપાસનો ધમધમાટ વધી ગયો છે અને FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી.
આ અંગેની પોલીસ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ડમ્પરચાલક અને કલીનર સહિત 4 લોકોને ઇજા પહોંચી છે.
ડમ્પરચાલકની અડફેટમાં આવેલા ઇજાગ્રસ્તોને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે આ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.