સુરત બારડોલીના ઉવા ગામે નહેરમાં કાર ખાબકતાં કરૂણ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મૃત્યું થયા છે. ડ્રાઇવર સહિત કારમાં સવાર સગા ભાઇ બહેનના મોત થયા છે. કાર મઢીના રહીશની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી.
નહેરમાં કાર ખાબકતા અકસ્માત
ડ્રાઇવર સહિત ત્રણનાં મોત
બારડોલીના ઉવા ગામની ઘટના
સુરતમાં બારડોલીના ઉવા ગામે નહેરમાં કાર ખાબકતા 3 લોકોના મોત થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સગા ભાઇ-બહેન અને ડ્રાઇવરનું મોત નિપજ્યું હતુ.
ફાયરફાઈટરની લેવાઈ મદદ
આ ઘટનાને પગલે ફાયર વિભાગની મદદ લેવાઈ હતી જેમાં ફાયર ફાઈટર દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી.
ડ્રાઈવર નહેરમાં તણાયો
ચાલક નહેરના પાણીમાં તણાયો હોવાની આશંકા સેવાઈ રહી છે જ્યારે કાર મઢીના રહીશની હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે
બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.