AAPના કોર્પોરેટર્સ દ્વારા સુરતના પુણાના યોગી ગાર્ડનનું બોર્ડ હટાવી અને રાતોરાત ''પાટીદાર ગાર્ડન''નું બોર્ડ પણ લગાવી દીધું હતું.
પુણાના ગાર્ડનનું ફરીથી નામકરણ
મનપાએ ફરીથી યોગી ગાર્ડન નામ આપ્યું
AAP કોર્પોરેટરોએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ લગાવ્યુ હતું
સુરતના પુણામાં એક ગાર્ડનનું રાતોરાત નામ બદલાઈ જતાં ચકચારી મચી છે. અને તેની પાછળ હમણા જ ગુજરાતમાં આવેલી આમ આદમી પાર્ટીનું આ કારસ્તાન હતું. જો કે, સુરત મહાનગરપાલિકાએ ફરીથી યોગી ગાર્ડન નામ આપ્યું છે. સુરત મનપામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરની એન્ટ્રીની સાથે શહેરમાં કામ કરાવવા માટે મહેનત કરી રહ્યા છે. જનતાના કામ કરવા એ તો યોગ્ય બાબત છે. પરંતુ કોઈ ગાર્ડનનું નામ મનમરજીથી બદલી દેવું કેટલું યોગ્ય છે.
કોઈપણ કામગીરી માટે એક પ્રક્રિયા હોય છે. જેના માટે મંજૂરીઓ પણ લેવી પડે છે. ત્યારે AAP કોર્પોરેટરોએ યોગી ગાર્ડનનું નામ "પાટીદાર ગાર્ડન" રાખી દીધું હતું. યોગી ગાર્ડનનું બોર્ડ હટાવી અને રાતો રાત પાટીદાર ગાર્ડનનું બોર્ડ પણ લગાવી દીધું હતું. વોર્ડ 17મા કોર્પોરેટરોએ ગાર્ડનનું નામ બદલી નાખ્યું હતું. જો કે, તે બાદ કોર્પોરેશન દ્વારા પાટીદાર બોર્ડ ઉતારીને યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દેવાયું છે.