સુરતમાં સિરાજખાન નામના શખ્સ પર ફાયરિંગની ઘટના બનવા પામી હતી. શહેરના ઓલપાડના પરા વિસ્તારમાં ફાયરીંગની આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
બે બાઈક સવાર થઇને આવેલા શખ્સો દ્વારા સિરાજખાન નામના વ્યક્તિ પર ફાયરીંગ કરવામાં આવે. આ સાથે સિરાજખાનની લક્ઝુરીયસ કાર પર પણ બાઈક સવારોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં સિરાજખાનનો આબાદ બચાવ થયો છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર સુરત શહેરના ઓલપાડના પરા વિસ્તારમાં સિરાજખાન પઠાણ પોતાની મોઁઘીદાટ ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા.
તે સમયે 2 બાઇક પર ધસી આવેલા શખ્સોએ સિરાજખાન પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના જમીનના પ્રકરણ બાબતે બની હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ.
જો કે ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો અને આ બાબતની નજીકના પોલીસ મથકે જાણકારી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઇએ કે સિરાજખાન ગુજરાતના જાણીતા અશ્વપ્રેમી પણ છે. તેમની પાસે છ વર્ષનો એક સકાબ નામનો ઘોડો છે. તેની પ્રજાતિ એક અમેરિકા અને કેનેડામાં જ છે. ત્યારે આ ઘોડાને ખરીદવા માટે ઠેર-ઠેરથી ઓફર પણ આવી હતી પરંતુ સિરાજખાને ઠુકરાવી દીધી હતી.