સુરતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવેલી ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી હતી. સુરતના લીંબાયતના દુષ્કર્મના આરોપી અનિલ યાદને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં ડેથ વોરંટ જાહેર કર્યું છે. આરોપીને આગામી 29 ફેબ્રુઆરીએ અમદાવાદ જેલમાં ફાંસી આપવાનો હુકમ કરાયો છે.
પોક્સો કેસ હેઠળ ગુજરાતમાં પહેલી ફાંસીની સજા
29 ફેબ્રુઆરી અમદાવાદ જેલમાં ફાંસી આપવાનો હુકમ
સુરત કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં ડેથ વોરંટ જાહેર કર્યું: વકીલ
ગુજરાતમાં પોક્સો કેસ હેઠળ પહેલી ફાંસીની સજા આપવામાં આવી છે. આ અગાઉ દોષિતને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી હતી. હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. આરોપી અનિલ યાદવની બિહારથી ધરપકડ કરાઈ હતી. મહત્વનું છે કે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધર રેર કેસ ગણાવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના લીંબાયતમાં રહેતા 26 વર્ષિય આરોપી અનિલ યાદવે પોતાના ઘર નજીક રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરીને પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરીને હત્યા કરી નાંખી હતી. બાદમાં બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુ મારી દીધું હતું અને તે પોતાના વતન નંદુરબાર નાસી ગયો હતો.
ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને તેને બિહારથી ઝડપી લીધો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી. પોલીસે તપાસ કરતા બાળકીનો મૃતદેહ તેની રૂમમાંથી મળી આવ્યો હતો.
આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં 31 જુલાઇના રોજ આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે હવે હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.
જોકે આરોપી હવે પોતાનો બચાવ કરવા માટે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. તે રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરી શકે છે. તેની પાસે બંને વિકલ્પ ખુલ્લા છે.