સુરતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવેલી ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી હતી. પરંતુ આરોપી અનિલની સુપ્રીમ કોર્ટમાં અપીલ બાદ ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવી છે.
સુરતમાં દુષ્કર્મના દોષિતની ફાંસીની સજા પર રોક
29 ફેબ્રુઆરીએ દુષ્કર્મના દોષિતને આપવાની હતી ફાંસી
ગુજરાત હાઇકોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી હતી
સુરતના લીંબાયતના દુષ્કર્મના આરોપી અનિલ યાદને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સુરત કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં ડેથ વોરંટ જાહેર કર્યું હતું. આરોપીને 29 ફેબ્રુઆરીએ અમદાવાદ જેલમાં ફાંસી આપવાનો હુકમ કરાયો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.
આરોપી પાસે છે આ વિકલ્પ
સુપ્રીમ કોર્ટે આરોપી અનિલ યાદવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. આ વિકલ્પ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની રહેશે. આ દયા અરજી ફગાવાયા બાદ જ સમગ્ર પ્રક્રિયા પૂરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે.
આરોપીના વકીલની દલીલને માન્ય રખાઇ
ફાંસી અગાઉ જ આરોપી અનિલ યાદવે જેલ મારફત સરકાર OAS કાયદાની મદદ માંગી હતી. સરકારે સુપ્રીમમાં અનિલ યાદવને કેસ લડવા એક વકીલની નિમણૂંક કરી છે. આરોપી અનિલના વકીલ અપરાજીતા સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે અનિલ પાસે 60 દિવસનો સમય છે અને તે પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના લીંબાયતમાં રહેતા 26 વર્ષિય આરોપી અનિલ યાદવે પોતાના ઘર નજીક રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરીને પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરીને હત્યા કરી નાંખી હતી. બાદમાં બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુ મારી દીધું હતું અને તે પોતાના વતન નંદુરબાર નાસી ગયો હતો.
ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને તેને બિહારથી ઝડપી લીધો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી. પોલીસે તપાસ કરતા બાળકીનો મૃતદેહ તેની રૂમમાંથી મળી આવ્યો હતો.
આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં 31 જુલાઇના રોજ આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે હવે હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.
ગુજરાતમાં પોક્સો કેસ હેઠળ પહેલી ફાંસીની સજા સંભળાવાય હતી. આ અગાઉ દોષિતને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી હતી. હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. આરોપી અનિલ યાદવની બિહારથી ધરપકડ કરાઈ હતી. મહત્વનું છે કે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધર રેર કેસ ગણાવ્યો હતો.
જોકે આરોપી પોતાનો બચાવ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઇને હાલ સુપ્રીમ કોર્ટે ફાંસી પર રોક લગાવી છે. હવે આરોપી રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરી શકે છે.