સુરતનાં ચાલથાન કડોદરા વિસ્તારમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. કડોદરા વિસ્તારમાં બે યુવાનોનાં શંકાસ્પદ રીતે મોત થયાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. કેમિકલની દુર્ગધનાં કારણે 2 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ કડોદરા નહેર પાસે ટેકરમાંથી કેમિકલ ઠાલવવામાં આવે છે. આ ઘટનાને ત્રણેય યુવાનો જોઈ રહ્યાં હતાં. ત્યારે હવે 2 લોકોનાં મોત થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આ બે યુવકોનાં મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ આવ્યાં બાદ આ બંને યુવકોનાં મોતનું કારણ પણ સામે આવશે.
મહત્વનું છે કે આ ઘટના જ્યારે ઘટી તેવાં સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી જેથી મહત્વનું છે કે આ સમગ્ર ઘટના સામે આવી. આ બંને મૃતકોમાં સચિનનાં ભરતભાઈ સાથીયા અને ચાહલનનાં ભવાનભાઈ ભાડીયાદ્રાનો સમાવેશ થાય છે. હાલમાં કેમિકલથી શ્વાસ રુંધાતાં ગંભીર હાલતમાં જોવા મળેલ ત્રીજી વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.