હાલ કોરોનાની મહામારીમાં સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. 11 દિવસનું બાળક કોરોના પોઝિટિવ નોંધાયુ છે.
માતાની શરદી ખાંસી અને સંક્રમણ બાળકને લાગ્યુ
માતા-બાળક બેઉ સંક્રમિત
ડોક્ટરોએ અગમચેતી વાપરી
સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.
માતા-બાળક બેઉ સંક્રમિત
શિશુની માતાએ કોવિડના લક્ષણો છુપાવ્યાં હતા જેના કારણે બાળકને ચેપ લાગ્યો અને ગંભીર પરિસ્થિતિમાં મૂકાયું હતું. ડિલિવરી દરમિયાન તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા પણ ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતા ડોક્ટરોને શંકા ગઈ હતી. એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતા બન્ને પોઝિટિવ આવ્યાં હતા.
ડોક્ટરોએ અગમચેતી વાપરી
ડોક્ટરેએ જણાવ્યું હતું કે સગર્ભા બહેનોએ ડિલિવરી વખતે શરદી ઉધરસ કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તેને છુપાવ્યા વગર તાત્કાલિક સારવાર અને રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે. જેથી આવનારા બાળક પર તેની કોઈ ગંભીર અસર પડે નહી. ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે. માતા કોરોના પોઝીટીવ છે કે કેમ તે અંગે ડોકટરને કોઇ જાણ નહોતી બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનું એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા.
માતાની શરદી ખાંસી અને સંક્રમણ બાળકને લાગ્યુ
માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ પહેલાં નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...