સુપ્રિમકોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ કાંવડ યાત્રાને લઈને સરકારને ફટકરાવામાં આવી છે. જેની સુનાવણી 16 જુલાઈના રોજ થશે
કાંવડ યાત્રાને લઈને ઉત્તરાખંડ સરકારને નોટીસ
સુપ્રિમ કોર્ટ દ્વારા નોટીસ ફટકરાવામાં આવી
16 તારીખે થશે સુનાવણી
ઉત્તરપ્રદેશમાં કાંવડ યાત્રાની પરવાનગીને લઈને સુપ્રિમ કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જે મામલે આગામી 16 તારીખે સુનાવણી કરવામાં આવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ યાત્રાની પરવાનગી આપી. જોકે તેમણે આદેશ આપ્યા છે કે કાંવડ યાત્રા સમયે કોવિડ પ્રોટોકોલનું પાલન થવું જોઈએ.
પરિસ્થિતીને ધ્યાનમાં રાખી યાત્રાનું આયોજન
આ મામલે યોગી આદિત્યનાતે કહ્યું કે કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીનેજ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેજ તેમણે યાત્રામાં જોડાનાર લોકોનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ હોવો જોઈએ તેવા પણ આદેશ આપ્યા હતા.
યાત્રામાં ભીડ એકઠી ન થાય તેના આદેશ
ગત સપ્તાહે તેમણે કાંવડ યાત્રાને સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે કાંવડ સંઘો સાથે વાત કરીને તે વાતની ખાસ ખાતરી કરવામાં આવે કે યાત્રામાં કોઈ પણ ખોટી રીતે ભીડ એકઠી ન થાય.
ઉત્તરાખંડ સરકારે યાત્રા રદ કરી
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પર કાંવડ યાત્રા રદ કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તેમણે યાત્રા રદ કરી છે. કારણકે આ પહેલા જ્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉત્તરાખંડ સરકાર સામે ઘણા સવાલો ઉભા થયા હતા.