Supreme Court's notice to Modi government over Indira Gandhi incident after 45 years, know the whole matter
કાર્યવાહી /
45 વર્ષ બાદ ઈન્દિરા સરકાર વખતની ઘટનાને લઈને મોદી સરકારને સુપ્રીમની નોટિસ, જાણો સમગ્ર મામલો
Team VTV07:44 PM, 14 Dec 20
| Updated: 07:47 PM, 14 Dec 20
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં 1975 માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી ઇમરજન્સીને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે, જો કે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે અને એમ પણ કહ્યું છે કે આ બાબત પર પણ વિચાર કરવામાં આવશે કે ઇમરજન્સીને લાગૂ થયે આજે 45 વર્ષ વીતી ચૂક્યા છે અને આટલા સમય પછી તેનું આવી રીતે તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે કે કેમ?
સુપ્રીમ કોર્ટે મોદી સરકારને પાઠવી નોટિસ
1975ની કટોકટીને ગેરબંધારણીય જાહેર કરાવવા થઈ અરજી
94 વર્ષની મહિલાએ 25 કરોડ રૂપિયાનું માંગયું વળતર
ન્યાયમૂર્તિ સંજય કૌલની અધ્યક્ષતા વાળી બેન્ચે 94 વર્ષની મહિલાની અરજી પર સુનાવણી કરતાં વધુમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી કઇંક એવી ચીજ હતી જે ન હોવી જોઈએ અને આ પછી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ અરજીકર્તા તરફથી દલીલ કરતાં કહ્યું હતું કે ઇમરજન્સી આ દેશના બંધારણ પર સૌથી મોટો હુમલો હતો કેમ કે તેમાં મહિનાઓ સુધી લોકોના મૌલિક અધિકારોને ભોગવવાથી દૂર કરી દેવાયા હતા.
શું છે ઇમરજન્સી ?
દેશમાં લગભગ 45 વર્ષ પહેલા 25 જૂન 1975ના રોજ અડધી રાત્રે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવાની ઘોષણા કરવામાં આવી હતી અને તે 1977 માં સમાપ્ત થઈ હતી, અરજી કરનાર મહિલા વીરા સરીને કહ્યું હતું કે તે અને તેમના પતિ આ ઇમરજન્સી દરમિયાન સરકારી અધિકારીઓ અને અન્ય લોકોના અત્યાચારનો શિકાર બન્યા છીએ, જેની સામે તેમણે આ કટોકટીમાં સક્રિય ભૂમિકા નિભાવવા વાળા લોકો પાસેથી 25 કરોડ રૂપિયા વળતર અપાવવાની માંગણી કરી હતી.
શું છે વધુ અરજીમાં ?
વીરા સરીને અરજીમાં લખ્યું હતું કે તેમના પતિને દિલ્હીમાં સ્વર્ણ કલાકૃતિઓનો વેપાર હતો, પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા વગર કારણે જેલમાં નાખી દેવાના ભયને લીધે તેમણે દેશ છોડી દેવો પડ્યો હતો, જેના પછી તેમના પતિની મોત થઈ ગઈ અને તેમની સામે શરૂ થયેલી કાર્યવાહીનો સામનો તેમની પત્નીએ એટલે કે અરજીકર્તા એ કરવો પડ્યો હતો, જેને લઈને તેમના પરિવારના મિત્રો અને સગા વ્હાલાઓએ પણ તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે વીરા સરીન ના પરિવારે તેમના હક માટે 35 વર્ષ સુધી ભટકવું પડ્યું અને તેના લીધે તેમના માનસ પર પ્રભાવ પડ્યો હતો, અને હવે તેઓ તેમના જીવનમાં આ માનસિક વિષાદની લાગણીથી મુક્ત થઈ જવા માંગે છે.
અરજીકર્તા મહિલાએ લગાવ્યો હતો આરોપ
આ અરજીમાં યાચિકાકર્તા મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમના આભૂષણો, કલાકૃતિઓ, પેઇન્ટિંગ, મૂર્તિઓ અને અન્ય કિંમતી ચલ સંપત્ત્તિનો અધિકાર તેને અપાયો નથી જેના માટે તે સમયના અધિકારીઓ જવાબદાર છે.
આ અરજીમાં ડિસેમ્બર 2014ના દિલ્હી હાઇકોર્ટના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કોર્ટે કહ્યું હતું કે આ મહિલાના પતિ સામે જે કાર્યવાહી શરુ થઇ હતી તે કોઈ પણ અધિકાર ક્ષેત્રની બહારની હતી, આ અરજીમાં સાથે એમ પણ કહેવાયું છે કે હાઇકોર્ટે એક આદેશ આપીને સરકાર દ્વારા આ ગેરબંધારણીય રીતે આ પરિવારની જે અચલ સંપત્તિઓને કબ્જે લેવામાં આવી હતી તેની પર આંશિક વળતર અપાવ્યું હતું.