દેશના દરેક પ્રવાસી શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી તેઓ અનાજ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવી જોઈએ
રાશન કાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઇ સુધીનો સમય
રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક દેશ એક રાશનની યોજના લાગુ કરો
શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવો
રાશન કાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઇ સુધીનો સમય
સુપ્રીમ કોર્ટે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઇ 2021 સુધીનો સમય આપ્યો છે. આ યોજના અંતર્ગત પ્રવાસી મજૂરોને દેશના કોઈ પણ ખૂણામાંથી અનાજ મેળવવાની સુવિધા મળી જશે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના લાભ અને કલ્યાણ માટે બીજા પણ આદેશ આપ્યા છે. કોરોનાને લઈ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજય સરકાર માટે નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે રાજય સરકારોને આદેશ આપ્યો છે કે પ્રવાસી મજૂરને અનાજ આપે અને મહામારી છે ત્યાં સુધી સામુદાયિક રસોઈ ચાલુ રાખે. સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે નેશનલ ડેટા ગ્રીડ પોર્ટલનું કામ પૂરી કરી, અસંગઠીત ક્ષેત્રે કામ કરતાં મજૂરોનું રજીસ્ટ્રેશન 31 જુલાઇ સુધીમાં પૂરું કરવામાં આવે.
રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક દેશ એક રાશનની યોજના લાગુ કરો
સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે જણાવ્યું હતું કે રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક દેશ એક રાશનની યોજના લાગુ કરવી જોઈએ, જેના કારણે દેશના શ્રમિકો કોઈ પણ રાજ્યમાં હોય ત્યારે આ રાશનનો લાભ લઈ શકે.
શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવો
આ વાતથી સુપ્રીમ કોર્ટ એ કહેવા માંગતી હતી કે દેશના દરેક પ્રવાસી શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી તેઓ અનાજ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવી જોઈએ. પોતાના પક્ષમાં રહી કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને દિલ્હીએ આ યોજના હજી સુધી લાગુ પાડી નથી. કોર્ટે પ્રવાસી શ્રમિકો થતી હાલાકીના મુદ્દા વિશે વાત કરી હતી. કોર્ટ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે કોઈ નેશનલ પૉર્ટલ બનાવવા માટે થઈને કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા અને આ આદેશ પર કામ કરવાનું કહ્યું.