બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Supreme Court VS Centre Rijiju said We are public servants we cannot give
Kishor
Last Updated: 11:42 PM, 4 February 2023
સુપ્રિમ કોર્ટની ચેતવણીને કાયદામંત્રી કિરન રિજિજૂએ ફગાવી દિધી છે. કાયદા મંત્રી કિરન રિજિજુએ વધુમાં જણાવ્યુ હતુ કે કોઈ કોઈને ચેતવણી આપી શકતુ નથી. જનતા દેશની માલિક છે. શનીવારે કાયદા મંત્રી કિરન રિજિજૂએ સુપ્રિમ કોર્ટની ચેતવણીને નકારી દિધી છે. આ સાથે તેમણે કહ્યું કે કેટલાક મીડિયા દ્વારા કહેવામાં આવે છે કે સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી છે. પરંતુ એવી કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી. યુપીના પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું હતુ કે અમે લોકો જનતાના સેવક છીએ, અમે લોકો બંધારણ પ્રમાણે કામગીરી કરી રહ્યા છીએ.
સમગ્ર મામલાની વાત કરીએ તો સુપ્રિમ કોર્ટે જજોના વિલંબને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે કોર્ટે કેન્દ્રને ચેતવણી પણ આપી હતી કે, 'અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે અસહજ હોય'. મહત્વનું છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીમાં ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર ઢીલ રખાતા સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી હતી. તેના પર કેન્દ્રએ કહ્યુ હતુ કે પાંચ જજોની નિયુક્તિ માટે સુપ્રિમ કોર્ટમાં મોકલવામાં આવેલી ભલામણમે આગળના પાંચ દિવસમાં મંજૂર કરી દેવામાં આવશે. જો કે કેન્દ્ર એ ચોવીસ જ કલાકની અંદર જ તમામ પાંચ ભલામણને મંજૂરી આપી દેવામાં આવી છે.
કાયદા મંત્રીએ શુ કહ્યુ ?
યુપીના પ્રયાગ રાજમાં આજે કાયદા મંત્રી કિરણ રિજિજુએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, “મે જોયુ છે કે કેટલા મીડિયા રીપોર્ટ્સમાં એવુ કહેવામાં આવે છે કે સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી છે. દેશના માલિક અહીંના લોકો છે. અને અમે લોકો તો માત્ર સેવક છીએ, અમારી ગાઈડલાઈન બંધારણ છે અને બંધારણ પ્રમાણે જ દેશ ચાલશે આગળ વધશે. કોઈ કોઈને ચેતવણી આપી શકતુ નથી. આપણે આપણી જાતને આ મહાન દેશના સેવકના રૂપમાં જોઈ રહ્યા છીએ તે પણ આપણામાં એક મોટી વાત છે. લોકોએ આપણને મોકો આપ્યો છે કામ કરવા માટેનો”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News