સુપ્રીમ કોર્ટે શેરડીની ખરીદીને લઇને બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, હવે રાજ્ય પોતાને ત્યાં શેરડીની લઘુત્તમ ખરીદ કિમંત નક્કી કરી શકે છે. પછી ભલે તે આ કેન્દ્રની તરફથી નક્કી કરાયેલ કિમંતથી વધારે હોય. 2005માં દાખલ કરાયેલ ઉત્તર પ્રદેશ શુગર મિલ્સ એસોસિએશનની અરજી પર સુપ્રીમ કોર્ટ આમ નિર્ણય સંભળાવ્યો છે.
રાજ્ય પોતાને ત્યાં શેરડીની લઘુત્તમ ખરીદ કિમંત નક્કી કરી શકે છે : સુપ્રીમ કોર્ટ
2005માં દાખલ કરાયેલ ઉત્તર પ્રદેશ શુગર મિલ્સ એસોસિએશનની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
મિલ માલિકોનું કહેવું હતું કે કિમંત નક્કી કરવાનો હક માત્ર કેન્દ્ર સરકારનો છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર શેરડીના વાજબી અને મહેનતાણું ભાવ (FRP) નક્કી કરે છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં મિલ એફઆરપી આપે છે. જ્યારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાંખડ, પંજાબ અને હરિયાણામાં પ્રદેશ સરકાર રાજ્ય સમર્થિત મૂલ્ય (SAP) નક્કી કરે છે.
એસએપી અમૂમન એફઆરપીથી વધારે હોય છે. આ કારણે વેસ્ટ ઉત્તર પ્રદેશ શુગર મિલ્સ એસોસિએશને 2005માં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે કિમંત નક્કી કરવાનો અધિકાર કેન્દ્રને છે. તેના પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા હવે દરેક રાજ્ય પોતાના અહીં શેરડીની લઘુત્તમ ખરીદ કિમંત નક્કી કરી શકે છે.
કેન્દ્ર સરકારે ક્રશિંગ સીઝન 2019-2020 માટે શેરડીના વાજબી અને મહેનતાણું ભાવ (એફઆરપી)ને ગત વર્ષ માટે 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર સ્થિર રાખી છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં વર્ષ 2019-2020 માટે શેરડીની એસએપી ગત વર્ષની જેમ જ અર્લી વેરાયટી માટે 325, સામાન્ય પાકની જાત માટે 315 અને અનુચિત પાકની જાત માટે 310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ શેરડીનું મુલ્ય નિર્ધારણ કરાયું છે.
કેન્દ્રની તરફથી નિર્ધારિત 275 રૂપિયાની જગ્યાએ ઉત્તર પ્રદેશના ખેડૂતોને લગભગ 50 રૂપિયા વધારે મળશે. એવામાં વેસ્ટ ઉત્તર પ્રદેશ શુગર મિલ્સ એસોસિએશને અરજી દાખલ કરીને કેન્દ્રને જ શેરડીની ખરીદીની લઘુત્તમ કિમંત નક્કી કરવાનો અધિકાર આપવાની વકાલત કરી હતી.