પર્યાવરણ સંરક્ષણને લઈને Supreme Court દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં ESZ ની આસપાસ ખનન તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ નહીં કરવા દેવાનો નિર્દેશ કરાયો છે.
પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ
ઇકો સેન્સેટીવ ઝોન એટલે કે પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર બનાવવામાં આવશે
પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દેશભરમાં સંરક્ષિત વન, વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્કની આસપાસ 1 કિલોમિટરના વિસ્તારમાં ઇકો સેન્સેટીવ ઝોન એટલે કે પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર બનાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ ESZ ની સીમાની અંદર જે કોઇ ગતિવિધિ ચાલી રહી હોય તે માત્ર મુખ્ય વન સંરક્ષકની પરમીશન બાદ જ ચાલી શકશે. જો ESZ અગાઉથી નક્કી હોય તો 1 કિલોમીટર બફર ઝોનથી આગળ હશે તો તેની વિસ્તારીત સીમા જ માનવામાં આવશે.
3 મહિનાના અંતે સુપ્રીમ કોર્ટને લિસ્ટ સોંપશે
પ્રત્યેક રાજ્યનાં મુખ્ય વન સંરક્ષક ESZ અંતર્ગત હાલના ક્ષેત્રનું એક લિસ્ટ તૈયાર કરશે અને 3 મહિનાના અંતે સુપ્રીમ કોર્ટને સોંપશે. વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્કને ESZમાં કોઈપણ પ્રકારનું ખનન કરવાની પરમીશન નહીં મળે. અને નવા બાંધકામને પણ પરમીશન નહીં આપવામાં આવે.
નન પ્રવૃત્તિ કે ફેક્ટરીની પરવાનગી ન આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટનો પર્યાવરણ મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો છે કે દેશમાં અભયારણ્ય અને નેશનલ પાર્કની આસપાસ એક કિલોમીટરના વિસ્તારને પર્યાવરણ માટે સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવામાં આવે અને ત્યાં કોઈ પણ પ્રકારની ખનન પ્રવૃત્તિ કે ફેક્ટરીની પરવાનગી ન આપવામાં આવે.
આ ચુકાદો જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ટીએં ગોદાવરમન કેસમાં મંત્રાલયને સંરક્ષિત વણો અને નેશનલ પાર્ક્સને લઈને આદેશ આપવામાં આવ્યો હતો.