ઉદ્યોગપતિ અનિલ અંબાણીને માટે સુપ્રીમ કોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સને 104 કરોડ રૂપિયાનું રિફંડ આપે. બે જજની બેન્ચે કેન્દ્ર સરકારની અરજી નકારીને આ નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ
કેન્દ્ર સરકાર અનિલ અંબાણીને આપે રિફંડ
રિલાયન્સ કમ્યુનિકેશન્સને 104 કરોડ રૂપિયાનું રિફંડ આપે કેન્દ્ર સરકાર
Supreme Court today ordered the Centre to refund around Rs 104 crores to Anil Ambani-led Reliance Communications.
This amount is the balance of the bank guarantee for spectrum, to be paid to R-Com by Centre. (file pic) pic.twitter.com/e4ta4zeZte
જસ્ટિસ રોહિંટન નરીમનની અધ્યક્ષતાની ખંડપીઠમાં 2 જજની બેન્ચે કેન્દ્ર સરકારની અરજીને નકારી છે. ઉલ્લેખનીય છે કે આ અરજી રૂપિયા પાછા આપવાને માટે દાખલ કરવામાં આવી હતી.
આ છે કેસ
આરકોમની આ રકમ બેંક ગેરેંટીની રીતે સરકાર પાસે જમા છે. આ કેસમાં ટેલિકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ એન્ડ અપીલેંટ ટ્રિબ્યુનલને 21 ડિસેમ્બર 2018ના રોજ અનિલ અંબાણીની આરકોમના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. ત્યારે ટીડીસેટએ કહ્યું હતું કે આરકોમની 908 કરોડ રૂપિયાની બેંક ગેરેંટીમાંથી સરકાર સ્પેક્ટ્રમ ચાર્જના 774 કરોડ રૂપિયા બાદ કરીને 104 કરોડ રૂપિયા કંપનીને આપે. આ નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
દેવાની સ્થિતિમાં છે આરકોમ
ઉલ્લેખનીય છે કે આરકોમે ત્રણ વર્ષ પહેલાં જ ઓપરેશન્સ બંધ કર્યા હતા. કારોબારમાં નુકસાન અને દેવું વધવું તેનું મુખ્ય કારણ છે. હાલમાં આરકોમ પણ દેવાળિયા પ્રક્રિયામાં છે. RCom રિલાયન્સ જીઓનું સ્પેક્ટ્રમ વેચીને દેવાની સ્થિતિમાંથી બચવાનો પ્રયત્ન કર્યો પણ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકારની તરફથી મંજૂરીમાં મોડું થવાના કારણે ડીલ થઈ શકી નહી.