સાર્વજનિક પરિવહન અને સરકારી વાહનોને ઇલેકટ્રિક વાહનોમાં ફેરવવા માટેના મામલે આજે સુનાવણી હાથ ધરાઇ. આ મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા સમય માગ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી કોર્ટમાં આવી બતાવે કે સમસ્યાં ક્યાં થઇ રહી છે.
ઇલેકટ્રિક વાહનો પર સુનાવણી દરમિયાન ઉઠ્યો મુદ્દો
SC એ સરકારને આપ્યો 4 અઠવાડિયાનો સમય
જેના પર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે જો કેન્દ્રીય મંત્રીને સુપ્રીમ કોર્ટમાં બોલાવામાં આવશે તો તેની રાજકીય અસર જોવા મળશે. જેના પર ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે કોર્ટે હાલ કોઇ આદેશ નથી કરી રહી, આ માત્ર સુચન છે.
CJI એ કહ્યું આને માત્ર આમંત્રણ સમજો
CJI એસએ બોબડેએ પૂછ્યું, શું પરિવહન મંત્રી આવીને અમને જાણકારી આપી શકે છે? આને સમન્સ નહી નિમંત્રણ સમજો, કારણ કે ઇલેકટ્રિક વાહનો અંગેની યોજના અંગેની પૂર્ણ જાણકારી અધિકારીઓની જગ્યાએ તેમની પાસે હશે.
કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાની અંદર બેઠક યોજી ઇલેકટ્રિક વાહનોના સંબંધિત મામલમાં વિચાર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણને લઇને સમજૂતિ કરી શકાય નહી. કોર્ટે કહ્યું કે આ મામલો માત્ર દિલ્હી-NCR માટે મહત્વપૂર્ણ છે, પરંતુ દેશ માટે પણ મહત્વપૂર્ણ છે.
પોતાની નીતિનું પાલન નથી કરી રહી સરકાર
ખરેખર અરજીમાં આરોપ લગાવામાં આવ્યો હતો કે સરકાર સાર્વજનિક પરિવહન અને સરકારી વાહનોને ઇલેકટ્રિક વાહનોમાં તબદિલ કરવાની પોતાની નીતિનું પાલન કરવા પૂરતો પ્રયત્ન કર્યો નથી. વરિષ્ઠ વકિલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ યોજના વાયુ પ્રદૂષણ પર રોક લગાવા અને કાર્બન ઉત્સર્જનને મર્યાદામાં કરવા માટે તૈયાર કરવામાં આવી હતી.