સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી આજદિન સુધી આ કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં મુંબઈ પોલીસની તપાસ અને રિયા ચક્રવર્તી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે પટનામાં રિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ FIRને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર કાલે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપશે.
પટનામાં દાખલ કરવામાં આવેલ FIRને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવતીકાલે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપશે. કોર્ટ આવતીકાલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર 11 વાગે ચુકાદો સંભળાવશે. જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠ આવતી કાલે ચુકાદો આપશે. નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ગત મંગળવારે અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો
ગત મંગળવારે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેંચએ સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર જ્યારે શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા, વિકાસ સિંહે સુશાનત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો. સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.
રિયાના વકીલે કહ્યું અભિનેત્રી આઘાતમાં છે
નોંધનીય છે કે આ સુનાવણીમાં રિયાના વકીલે કહ્યું હતું કે અભિનેત્રી સુશાંત સિંહથી પ્રેમ કરતી હતી અને તેમના મોત બાદથી જ તે આઘાતમાં છે. રિયાના વકીલે કહ્યું કે પટનામાં જે FIR નોંધવામાં આવો છે તે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ.રિયાના વકીલે કહ્યું કે પટનામાં ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ઘટના તો ત્યાં થઇ જ નથી. 38 દિવસ થયા પછી FIR દાખલ કરવામાં આવી. જો આ મામલો પટનાથી મુંબઈ ટ્રાન્સફર નથી થયો તો રિયાને ન્યાય નહીં મળે.