જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.આ સુનાવણી દરમિયાન કોર્ટે એક કાયદોનો ઉલ્લેખ કર્યો હતો, જે હાલના કેસ જોતા સૌ કોઈએ જાણવો ખૂબ જરૂરી છે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે થઈ સુનાવણી
કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી રજૂ કરાઈ આ દલીલ
કોર્ટે કહી આ મોટી વાત
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદીની દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે, અહમદીજી જે પણ સૂચનો આપી રહ્યા છે, તે આપના પક્ષમાં જ છે. કોર્ટે આ દરમિયાન કડક શબ્દોમાં કહ્યું કે, 1991ના કાયદા અંતર્ગત કેસની માન્યતા નક્કી કરવામાં આવશે, તો પછી આપને જ મુશ્કેલીઓ થશે. અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં મુસ્લિમ પક્ષના વકીલ સુપ્રીમ કોર્ટમાં સતત પૂજા સ્થળ કાયદો 1991ના ઉલ્લંઘનની વાત કરતા આવ્યા છે. ત્યારે આવા સમયે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ત્રણ મહત્વની વાત કહી છે. અને સાથે જ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો પણ આપ્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે કહ્યું કે, ધાર્મિક સ્થળ કાનૂન, 1991 એ વાતને બાધિત નથી કરતો કે, કોઈ ધાર્મિક સ્થળના ચરિત્રની ઓળખાણ ન કરી શકાય. જો કોઈ ધાર્મિક સ્થળની ઓળખાણ કરવામા આવી રહી છે, તો તેના પર રોક નથી લગાવી. પણ એ સમજવાનું રહેશે કે, જો કઈ ધાર્મિક સ્થળ પર કોઈ બીજા ધર્મનું ચિન્હ મળે છે, તો તેનાથી તે ધાર્મિક સ્થળનું ચરિત્ર બદલાશે નહીં, જે સ્થળ જેવું છે, તેવું જ રહેશે.
શું છે પૂજા સ્થળ કાનૂન
પૂજા સ્થળ કાનૂન (Places of worship act 1991) અંતર્ગત 15 ઓગસ્ટ 1947થી પહેલાના કોઈ પણ ધર્મના પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. જો આવું કરે તો સજાની પણ જોગવાઈ છે. આ કલમ અંતર્ગત જો 15 ઓગસ્ટ 1945માં રહેલા કોઈ ધાર્મિક સ્થળમાં ફેરફારને લઈને અરજી કોર્ટમાં છે, તો તેને ખતમ કરવામા આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, આ કાયદો 1991મા કોંગ્રેસની સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ લાવ્યા હતા. આ કાયદાને લાગૂ થયા બાદ બાબરી મસ્જિદ અને અયોધ્યાનો મુદ્દો સમગ્ર દેશમાં ચગ્યો હતો.
શું છે સજા
આ કાયદાનું ઉલ્લંઘન કરીને સખત સજાની જોગવાઈ પણ રાખવામા આવી છે. જો કોઈ દોષિત ઠરે અથવા કાયદાને તોડવાનો પ્રયત્ન કરે, તો તેના પર દંડ અને ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ છે.
શા માટે બનાવામા આવ્યો હતો કાયદો
આ કાયદાને બનાવવા પાછળ એક મોટુ કારણ હતું. જે દરમિયાન દેશમાં રામ મંદિરને લઈને આંદોલન ઝડપથી વધી રહ્યું હતું, તે દરમિયાન તેના જોતા દેશભરમાં કેટલાય અન્ય વિવાદો પણ સામે આવ્યા હતા. કોર્ટમાં આવા કેસોને લઈને અરજીઓનો ઢગલો થવા લાગ્યો હતો. તેને જોતા તત્કાલિન સરકાર કાયદો લાવી. આ કાયદો આવ્યા બાદ આવા કેસો આવતા અટકી ગયા હતા.