સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોલેજિયમ દ્વારા ન્યાયાધીશોની નિમણૂકને લઈને મતભેદ યથાવત, કોલેજિયમ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક કરવામાં આવે છે
ન્યાયાધીશોની નિમણૂકને લઈને કેન્દ્ર-સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદ યથાવત
સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોલેજિયમ દ્વારા ન્યાયાધીશોની નિમણૂકને લઈને મતભેદ યથાવત છે. આ દરમ્યાન હવે સૂત્રો મુજબ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન કર્યું છે. આ સાથે ન્યાયાધીશોની નિમણૂકની બંધારણીય પ્રક્રિયામાં સરકારના પ્રતિનિધિને સામેલ કરવા પણ સૂચન કર્યું હતું.
પત્રમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓને કૉલેજિયમમાં સામેલ કરવા સૂચન
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ લખેલા પત્રમાં SC કૉલેજિયમમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને HC કૉલેજિયમમાં સંબંધિત રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન પણ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે, પત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પારદર્શિતા અને જાહેર જવાબદારીના સંચાર માટે તે જરૂરી છે.
Just a follow-up action of letters written earlier to CJI following direction of SC Constitution Bench while striking down National Judicial Appointment Commission Act.Constitution Bench had directed to restructure MoP of collegium system: Law Min to ANI on Centre's letter to CJI pic.twitter.com/iCgLOEzlP8
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને લખેલો પત્ર બંધારણીય અધિકારીઓની ટીકાના સિલસિલામાં નવીનતમ છે. જ્યારે આ પત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, આ માત્ર એક ફોલો-અપ લેટર છે જે અગાઉ CJIને લખવામાં આવ્યો હતો. આ માટે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ અધિનિયમને રદ્દ કરનાર સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ એવું જ કહ્યું હતું. બંધારણીય બેન્ચે કોલેજિયમ સિસ્ટમના MOPનું પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મહતવનું છે કે, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષે પણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ પર વારંવાર વિધાનસભાના અધિકારક્ષેત્રનું અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે. કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે જાહેરમાં બોલ્યા બાદ કેન્દ્રીય કાયદા મંત્રીએ પત્રમાં આ સૂચનો આપ્યા છે.
ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે કોલેજિયમ સિસ્ટમ પર મતભેદો ત્યારે પણ સામે આવ્યા હતા જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેશવાનંદ ભારતી મામલે કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ન્યાયતંત્ર સંસદની સાર્વભૌમતા સાથે સમાધાન કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, તે ચુકાદાએ દેશને 'બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત' આપ્યો હતો. જગદીપ ધનખડે જયપુરમાં આયજિત પીઠાસીન અધિકારીઓના સંમેલનને સંબોધિત કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટને રદ્દ કરવા પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે લોકતંત્રના અસ્તિત્વ માટે સંસદીય સાર્વભૌમત્વ અને સ્વાયત્તતા સર્વોપરી છે. જો કે, ન્યાયતંત્ર અને સરકારની વચ્ચે જે મતભેદ જોવા મળી રહ્યો છે, તેને સૌહાર્દપૂર્વક ઉકેલવો જોઈએ.
જાણો શું છે કોલેજીયમ સિસ્ટમ?
ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ દ્વારા કરવામાં આવે છે. કોલેજિયમ એ 25 વર્ષ જૂની સિસ્ટમ છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક કરવામાં આવે છે. વર્તમાન કોલેજિયમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ એસ કે કૌલ, કેએમ જોસેફ, એમ.આર. શાહ, અજય રસ્તોગી અને સંજીવ ખન્ના સામેલ છે.