ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત છોકરીની હત્યા મામલાની તપાસ CBI અથવા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના સેવાનિવૃત્ત જ્જની અધ્યક્ષતામાં વિશેષ તપાસ દળ (SIT) પાસે કરાવાની માગ સંબંધી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી કરશે.
આ અરજીમાં હાથરસ કેસમાં ટ્રાયલને ઉત્તર પ્રદેશમાં દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે કે યુપીમાં મામલાની તપાસ અને સુનાવણી નિષ્પક્ષ નહીં થઇ શકે, એટલા માટે દિલ્હીથી ટ્રાન્સફર કરવામાં આવે.
આજે આ મામલામાં ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં એક ખંડપીઠ આ મામલે સુનાવણી કરશે. આ અરજીમાં એમ પણ માંગ કરવામાં આવી છે કે હાથરસમાં કથિત ગેંગરેપ અને હત્યા મામલે તપાસ હાઇકોર્ટના રિટાયર્ડ જ્જની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક સેવાનિવૃત્ત જ્જે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો જેમાં હાથરસ કેસના સંબંધમાં પોલીસ અધિકારીઓ અને તેમના વિરુદ્ધ FIR દાખલ કરવાની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરવામાં આવી.
પૂર્વ ન્યાયિક અધિકારી ચંદ્ર ભાન સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલ જનહિત અરજીમાં આરોપ લગાવામાં આવ્યા કે રાજ્ય પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પીડિતાની સારવર આપવામાં 'લાપરવાહી' કરવામાં આવી, જેના કારણે તેનું મૃત્યું થયું.