સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે રાફેલ મામલે તેમના નિર્ણયોની સમીક્ષાની માંગ કરનારી અપીલોને સૂચિબદ્ધ કરવા પર વિચાર કરવામાં આવશે. આ સંબંધિત અજીઓના સમૂહને સુપ્રીમ કોર્ટે 14 જાન્યુઆરીએ રદ્દ કરી દીધી હતી. આ સમૂહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ યશવંત સિંહા અને અરૂણ શૌરી તેમ જ વકીલ પ્રશાંત ભૂષણની અરજીઓ પણ શામેલ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું ફ્રાન્સમાં 36 રાફેલ વિમાનોની ખરીદીમાં કેન્દ્રના નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકાનો કોઈ સવાલ ઊભો થતો નથી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે રાફેલ મુદ્દે ચાર અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાંથી એક તો ખામીને કારણે રજિસ્ટ્રીમાં પડી છે. આ પીઠમાં ન્યાયમૂર્તિ એલ.એન રાવ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ છે.
જ્યારે પ્રશાંત ભૂષણે રાફેલ મામલે અરજીઓને તત્કાલ સૂચિબદ્ધ કરવાની માંગ કરી તો પીઠે કહ્યું કે પીઠ (ન્યાયાધીશો)માં બદલાવ કરવો પડશે. આ ઘણું મુશ્કેલ કામ છે. અમારે આ માટે કંઈક કરવું પડશે.
Advocate Prashant Bhushan today asked Supreme Court to hear petition seeking review of its judgement on #RafaleDeal. Chief Justice Ranjan Gogoi said "Will do something for the listing of the case as a bench is to be constituted for it."
ભૂષણે કહ્યું કે સમીક્ષા અરજીઓ ઉપરાંત એક એવું આવેદન પણ દાખલ કરવામાં આવ્યું છે જેમાં કોર્ટને ગુમરાહ કરનારી જાણકારી આપવા માટે કેન્દ્રના કેટલાંક કર્મચારીઓ વિરુદ્ધ કેસ ચલાવવાની માંગ કરી છે.
વકીલ ભૂષણ ઉપરાંત સિંહા અને શૌરીએ સુપ્રીમ કોર્ટ પાસેથી સોમવારે હાઈપ્રોફાઈલ રાફેલ મામલે સીલબંધ કવરમાં ખોટી અને ભ્રામક જાણકારી કથિત રીતે આપવાને મામલે કેન્દ્ર સરકારના કેટલાંક કર્મચારીઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે આગ્રહ કર્યો છે.